ગોંડલના ભોજપરા ગામે રહેતી ૧૬ વર્ષની સગીરા બપોરના સમયે ઘરે એકલી હોય દરમિયાન બીલીયાળા ગામે રહેતો શખસ તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો. તેણે સગીરા પર દુષ્કર્મમાં આચાયુ હતું. બનાવ બાદ ડરી ગયેલી સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. બાદમાં પરિવારજનોને આ બાબતની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી સામે દુષ્કર્મ, પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ૧૬ વર્ષની સગીરાના વાલી દ્રારા આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બિલિયાળા ગામે રહેતા મોહિત રાઠોડ વિદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે આરોપી સામે આઈપીસની કલમ ૩૭૬ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દુષ્કર્મના આ બનાવ અંગે ફરિયાદમાં જણાવેલી હકીકત મુજબ ગત તા. ૭૩ ના રોજ પરિવારજનો બહાર ગયા હોય સગીરા ઘરે એકલી હતી દરમિયાન બપોરના સમયે બિલિયાળામાં રહેતો મોહિત રાઠોડ પાડોશીના ઘરમાંથી વંડી ટપી સગીરાના ઘરમાં ઘૂસી આવ્યો હતો. ત્યારબાદ તેણે સગીરા પર દુષ્કર્મ આચયુ હતું બનાવ બાદ ડરી ગયેલી સગીરાએ આ બાબતે જે તે સમયે પરિવારના કોઈ સભ્યને જાણ કરી ન હતી.
પોતાની સાથે બનેલા આ બનાવવાને લઈ સગીરા સતત હતાશ અને ગુમસુમ રહેતી હતી.દરમિયાન ગત શનિવારે તેણે ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યેા હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં પરિવારજનોએ હતાશાનું કારણ પૂછતા અંતે તેણે પોતાની સાથે બનેલી આ ઘટના અંગે આપવીતી વર્ણવી હતી.દીકરીની સાથે બનેલી આ બીના સાંભળી પરિવારજનો ચોંકી ઉઠા હતા. ત્યારબાદ તેમણે આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવા અંગે વધુ તપાસ પીએસઆઇ જે.એમ. ઝાલા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech