જામનગર તા.૧મે, જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે લાલપુર તાલુકાના જોગવડ ગામે સરકારી ખરાબાના રે.સ.નં.૨૨૩ તથા ૨૩૧માં કુલ ક્ષેત્રફળ ૭૧૫ ચો.મી. જમીનમા વિવિધ આસામીઓ દ્વારા અનધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. જે તંત્ર દ્વારા દુર કરી પુનઃ સરકારી કબજો મેળવવામાં આવ્યો છે. આ જમીનની અંદાજીત રકમ રૂ.૧કરોડ ૧૪લાખ ૪૦હજાર જેટલી થાય છે.
આ કામગીરીમાં લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, મામલતદાર, પોલીસ વિભાગ તથા લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech