શેખ હસીનાએ પદ પરથી હટ્યા અને દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકા ખાતેના પોતાના પાંચ રાજદૂતોને પાછા બોલાવ્યા છે. આ રાજદૂત ભારત, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, પોર્ટુગલ અને સંયુક્ત રાષ્ટ્રમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે, આ તમામ રાજદૂતોને તાત્કાલિક તેમની જવાબદારીઓ સોંપીને પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. બાંગ્લાદેશે આ પગલું બ્રિટનમાં હાઈ કમિશનર સઈદા મુના તસ્નીમને પરત બોલાવ્યા બાદ ઉઠાવ્યું છે.
બધાને તરત જ પાછા ફરવાનો આદેશ
એક મોટા રાજદ્વારી ફેરબદલમાં, વચગાળાની સરકારે પાંચ દેશોના રાજદૂતો સહિત ભારતમાં તેના રાજદૂતોને પાછા બોલાવ્યા છે, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, વિદેશ મંત્રાલયે બ્રસેલ્સ, કેનબેરા, લિસ્બન, નવી દિલ્હી અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી મિશનમાં તૈનાત રાજદૂતોને તાત્કાલિક ઢાકા પરત ફરવાનો આદેશ આપ્યો છે.
હિંસા વચ્ચે હસીનાએ આપી દીધું હતું રાજીનામું
આ વર્ષે જુલાઈ મહિનામાં બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું હતું. જેમાં 700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી, વિદ્યાર્થીઓની ગુસ્સે ભરાયેલી ભીડ રાજધાની ઢાકા સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ કૂચ કરવા લાગી. વધતી હિંસા અને સુરક્ષાને જોતા તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભારતમાં શરણ લીધું હતું.
ભારત સાથેના સંબંધો સામાન્ય નથી
શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશના 48 જિલ્લામાં હિંદુઓ વિરુદ્ધ હિંસા થઈ હતી. ભારતે આ અંગે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સામાન્ય નથી. બંને દેશો વચ્ચે લગભગ 4,000 કિલોમીટર લાંબી સરહદ પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech