કેબિનેટમંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરા રહ્યા ઉપસ્થિત
સલાયામાં જલારામ મંદિર તેમજ લોહાણા મહાજનના ઉપક્રમે જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે જલારામ મંદિરે નૂતન ધ્વજારોહણ,ત્યારબાદ અન્નકૂટ અને બપોરે લોહાણા મહાજન વાડીમાં હિન્દુ સમાજનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ મહા પ્રસાદ લીધો હતો. આ હિન્દુ સમાજના સમૂહ ભોજનમાં કેબિનેટમંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે સલાયા લોહાણા મહાજન,જલારામ મંદિર ટ્રસ્ટ અને જલારામ સેવા સમીતી દ્વારા મુળુભાઇનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મુળુભાઇ બેરા તેમજ પધારેલ તમામ આગેવાનોનો જલારામ મંદિરનાં પ્રમુખ ભરતભાઈ લાલએ આભાર માન્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સલાયા જલારામ સેવા સમીતી તેમજ લોહાણા મહાજન અને સમસ્ત હિન્દુ સમાજે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech