સ્વિસ વેલ્થ મેનેજર જુલિયસ બેર ગ્રુપ લિમિટેડએ દુબઈમાં ધનિક ભારતીયોને સેવા આપતા તેના વ્યવસાયને વિસ્તારવા માટે યુબીએસ ગ્રુપ એજી અને જેપી મોર્ગન ચેસ એન્ડ કો.ના વરિ બેંકર્સની નિમણૂક કરી છે.સંજય અડવાણી અમીરાતમાં જુલિયસ બેરના વૈશ્વિક નોન રેસીડેન્સીયલ ભારતીય બિઝનેસના મેનેજિંગ ડિરેકટર અને ટીમ હેડ તરીકે યુબીએસમાં જોડાયા છે, એક નિવેદનમાં જણાવાયું છે કે, જેપી મોર્ગનમાં અગાઉ કામ કરી ચૂકેલા નિસાર સિંધીને મેનેજિંગ ડિરેકટર અને વરિ સલાહકાર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.
વૈશ્વિક ખાનગી બેંકિંગ કંપનીઓ આ પ્રદેશમાં ધનિક ગ્રાહકોની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે ગલ્ફમાં સ્ટાફ ઉમેરી રહી છે. બેન્કો સેન્ટ્રો એસએ દુબઈમાં ખાનગી બેંકિંગ કામગીરીને વેગ આપી રહી છે, યારે એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસીએ ગયા વર્ષે પ્રદેશમાં ૧૦૦ બેંકર્સ ઉમેર્યા હતા અને આગામી મહિનાઓમાં વધુ લોકોને નોકરી પર રાખવાની યોજના ધરાવે છે.
કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સ અનુસાર, ગયા વર્ષે એકલા યુએઇએ લગભગ ૪,૫૦૦ નવા કરોડપતિઓને પોતાના ગ્રાહક બનાવ્યા હતા. જુલિયસ બેરની કંપની એનઆરઆઈ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અડવાણી અને સિંધી બંને દુબઈમાં યુનિટના વડા તણ જલાલીને રિપોર્ટ કરશે. આ ઉપરાંત, બે રિલેશનશિપ મેનેજર યુબીએસથી જુલિયસ બેરમાં પર આવશે.
જુલિયસ બેર ખાતે ગ્લોબલ એનઆરઆઈના વડા કુણાલ સુમાયાએ જણાવ્યું હતું કે, આ નિમણૂંકો વૈશ્વિક એનઆરઆઇ બીઝનેસ માટે અમારી વૃદ્ધિની મહત્વાકાંક્ષાનો સંકેત આપે છે કારણ કે અમે આ ઝડપી ગતિવાળા બજાર વાતાવરણમાં અમારી સ્થિતિને વિસ્તારવા માટે તૈયાર છીએ. અડવાણીએ અગાઉ ક્રેડિટ સુઈસ, સોસાયટી જનરલ એસએ અને સિટીગ્રુપ ઈન્કમાં કામ કયુ હતું. સિંધીએ દુબઈમાં જેપી મોર્ગનની ખાનગી બેંકમાં ૧૩ વર્ષ વિતાવ્યા – યાં તેમણે યુએઇ, બહેરીન અને ઓમાનમાં હાઇ નેટવર્થ ધરાવતા વ્યકિતઓને આવરી લીધા અને તે પહેલાં તેમણે સીઆઇટીઆઇ અને એબીએન અમરોમાં કામ કયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના જંગલમાં થયેલા દબાણ ઉપર દાદાનું બુલડોઝર કયારે ફરશે?: કોંગ્રેસ
June 09, 2025 02:56 PMપોરબંદરમાં મહિલા પતંજલિ યોગ સમિતિની યોજાઇ બેઠક
June 09, 2025 02:54 PMરબારી સમાજના પીઢ આગેવાનને શ્રધ્ધાસુમન થયા અર્પણ
June 09, 2025 02:53 PMબરડા જંગલને બચાવવા દબાણ દુર કરવા ખુબ જરી
June 09, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech