વિકી રૂઘાણીને ભગવાન શ્રીરામનું ઉપરણું પહેરાવાયું
ખંભાળિયામાં રામનવમીના પવિત્ર પર્વે અહીં ખાસ ઉપસ્થિત રહી અને ધાર્મિક આયોજનોમાં સહભાગી થયેલા અહીંના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ અહીંના એક સેવાભાવી યુવા કાર્યકરને ભગવાન શ્રીરામના ઉપેરણા પહેરાવી, શુભેચ્છાઓ પાઠવી હતી.
બુધવારે રામનવમીના પાવન પર્વ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા તેમજ પૂજન-અર્ચનમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આટલું જ નહીં, અહીંના રોબિન હૂડ આર્મી સહિત વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સક્રિય સેવાભાવી યુવા કાર્યકર વિકીભાઈ રૂઘાણી (ફોન ઓન)ને ત્યાં ખાસ ઉપસ્થિત રહી અને કેબિનેટ મંત્રી મુળુભાઈએ ભગવાન શ્રી રામના ઉપરણાઓ પહેરાવીને ખાસ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો, કાર્યકરો તેમજ આગેવાનો પણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech