શહેરના કિન્નરોની આંતરીક લડાઈ આજે પોલીસ કમિશનર કચેરીથી લઈ એ ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચી હતી. બન્ને પક્ષે સામસામા આક્ષેપો સાથે લેખિત ફરિયાદ અપાઈ હતી. ગુરૂ, શિષ્ય કિન્નર વચ્ચે ચાલતા વિવાદમાં શિષ્યાએ કરેલી અરજી સામે ગુરૂની તરફેણમાં આજે ૩૦થી વધુ કિન્નરો ત્રિકોણબાગ ખાતે ચક્કાજામ કરી એ ડિવિઝન પોલીસ મથક સામે જ ભારે દેખાવો કર્યા હતા. છાજીયા લઈ, સૂત્રોચ્ચાર સાથે કેટલાકે અર્ધ ન અવસ્થામાં થઈ ગયા. રસ્તા પર સૂઈ જઈ પોલીસની એક તરફી કાર્યવાહી હોવાના આક્ષેપો કર્યા હતા. એક કિન્નરે બોટલ કાઢીને ફિનાઈલ પીવાનો પ્રયાસ કરતા હાજર પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથમાંથી બોટલ આંચકી લીધી હતી. કિન્નરોના દેખાવોથી પોલીસે પણ પગે પાણી ઉતર્યા હતા. ગંજીવાડા શેરી નં.૧૮માં રહેતા નિકિતાદે મીરાદ (મહમદ હત્પશેન સીરાજભાઈ ચૌહાણ) નામના ૨૪ વર્ષિય કિન્નરે આજે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત નામે ઉત્પાત મચાવ્યો હતો. નિકિતાદે દ્રારા કરાયેલી લેખિત ફરિયાદ (અરજી)માં પોતાના ગુરૂ મીરાદે ઉર્ફે ફટાકડી, રિક્ષાચાલક મકસુદ(રહે.બન્ને પરાપીપળિયા) તેમજ અન્ય અજાણ્યા બે કિન્નર સહિત ત્રણ ઈસમો મળીને હેરાન, પરેશાન, ધાક, ધમકી, મારકૂટ કરતા હોવાનું તેમજ ઘાતક હથિયારો સાથે ફરી ગમે ત્યારે હત્પમલો કરે, મારી નાખે તેવી દહેશત સાથે આક્ષેપો કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech