પરિવાર એક નહીં થવા દે તેવા ડરથી પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ

  • May 31, 2025 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રેમી યુગલોને લગ્નતર સંબંધ સુધી પહોંચવા માટે ક્યારેક સમાજ તો ક્યાંક પરિવાર આડખીલી રૂપ બનતો હોય છે જેના લીધે પોતે એક નહીં થઇ શકે એ ભયમાં યુગલો આપઘાતનો અંતિમ માર્ગ અપનાવતા હોય છે. આવાજ એક ભયમાં ઢેબલ કોલોની નજીક આવેલા બગીચામાં યુવક અને તરુણીએ સજોડે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ મૂળ વડોદરાનો અને ચારેક વર્ષથી પારેવાડી ચોક પાસે રહી છૂટક કામ કરતો ઉત્સવ લાલજીભાઈ વસાવા (ઉ.વ.25) અને 16 વર્ષીય સગીર પ્રેમિકાએ ગઈકાલે ઢેબર કોલોની પાસે આવેલા ગાર્ડનમાં ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.

યુવક અગાઉ ઢેબર કોલોની પાસે રહેતો હતો ત્યારે ત્યાં નજીક રહેતી સગીરા સાથે આંખ મળી જતા પ્રેમ સબંધ બંધાયો હતું. આ સબંધની પરિવારને પણ જાણ થઇ જતા હવે લગ્ન નહીં થઈ શકે તેવા ભયથી પગલું ભરી લીધું હતું. વધુ તપાસ ભક્તિનગર પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News