એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો કે તે વ્યક્તિ લગભગ 10 મિનિટ સુધી આરામથી નમાજ પઢતો અદા કરતો રહ્યો. સીસીટીવી ફૂટેજમાં નમાજ પઢનાર વ્યક્તિનો ચહેરો પણ દેખાય છે. આ ઉપરાંત તેમની કારનો ટ્રેકિંગ નંબર પણ નોંધવામાં આવ્યો છે. આ દ્વારા વ્યક્તિને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ઘટના બાદ આવા સંવેદનશીલ ધાર્મિક સ્થળની સુરક્ષા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ ભક્તોમાં રોષ છે. તેમનું કહેવું છે કે થોડા દિવસ પહેલા પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. મંદિર પરિસરમાં આ રીતે નમાઝ પઢવાથી સુરક્ષા પર સવાલો ઉભા થાય છે. ટીટીડી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ કરી રહ્યું છે.
આ ઘટનાને ધાર્મિક ઉશ્કેરણી તરીકે જોવામાં આવી રહી છે. ટીટીડીએ પણ સ્વીકાર્યું છે કે આ મંદિરના નિયમોનું ઉલ્લંઘન છે. તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલાને લઈને તિરુપતિના ભક્તોમાં પહેલાથી જ ગુસ્સો છે. ટીટીડીએ કહ્યું છે કે વીડિયોના આધારે વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. ભક્તોની લાગણીઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech