સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી સામે મુંબઈ બાદ વધુ એક એફઆઈઆર, ભગવાન રામનું અપમાન ભારે પડ્યું
નયનતારા અને તેની ફિલ્મ 'અન્નપૂર્ણી 'ની સામે થોડા સમય પહેલાં મુંબઈમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને હવે મધ્યપ્રદેશનાં જબલપુરમાં પણ એક્ટ્રેસ અને ફિલ્મની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
સાઉથની એક્ટ્રેસ નયનતારાનો રોલ વિવાદમાં સપડાયો છે.
ફિલ્મ અન્નપૂર્ણી પર મુંબઈ બાદ એમપીમાં નોંધાઈ FIRહે ફરિયાદ.
હિંદૂ સમુદાયની ધાર્મિક લાગણીઓને દુભાવ્યાનો આરોપ તેમના પર મુકવામાં આવ્યો છે.
નયનતારા અને જયની ફિલ્મ અન્નપૂર્ણી હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે પણ આ ફિલ્મને લઈને સતત વિવાદો ચાલી રહ્યાં છે. ફિલ્મ પર હિંદૂ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને લવ જિહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન રામ સંબંધિત એક વિવાદસ્પદ ટિપ્પણીને ફિલ્મમાં સામેલ કરવામાં આવી છે અને આ જ કારણોસર અન્નપૂર્ણને આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે ફિલ્મનાં મેકર્સ અને ડાયરેક્ટર્સની સાથે એકટ્રેસ નયનતારા સહિત સંપૂર્ણ સ્ટાર કાસ્ટની સામે મુંબઈ બાદ હવે મધ્યપ્રદેશનાં જબલપુરમાં પણ FIR નોંધવામાં આવી છે.
મુંબઈમાં અન્નપૂર્ણીનાં મેકર્સની સામે ફરિયાદ
નયનતારા અને જયનાં લીડ રોલવાળી ફિલ્મ અન્નપૂર્ણી-ધ ગોડેસ ઓફ ફૂડ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. તેનું ડાયરેક્શન નનીલેશ કૃષ્ણા દ્વારા કરવામાં આવ્યું છે. મુંબઈમાં ફરિયાદી રમેશ સોલંકીએ એક્સ પ્લેટફોર્મ પર નિવેદન શેર કરતાં લખ્યું કે એક પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ લવ જિહાદને પ્રોત્સાહ આપતી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે ફિલ્મ અન્નપૂર્ણીએ હિંદૂ ભાવનાઓને દુભાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશુભાંશુ શુક્લા અવકાશનો તાગ મેળવવા કાલે ઉડાન ભરશે:એક્સિઓમ મિશનનું કાઉન્ટ ડાઉન શરુ
June 09, 2025 10:21 AMયાત્રાધામ દ્વારકાના ગોમતી નદીમાં ઘાટ પર સાવચેતીપુર્વક સ્નાન કરવા તંત્રની અપીલ
June 09, 2025 10:20 AMદ્વારકામાં શીરદર્દસમો ટ્રાફિક સમસ્યા ઉકેલવા આયોજન
June 09, 2025 10:16 AMલોસ એન્જલસમાં હિંસાની આગ વધુ ભડકી, શા માટે વિરોધ?
June 09, 2025 10:10 AMદ્વારકા પીજીવીસીએલના બે ડીવીઝનમાં કાયમી સ્ટાફની નિમણૂંક કરવા માંગ
June 09, 2025 10:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech