પહલગામ આતંકવાદી હુમલાને લઈને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને CCSની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા. આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS), ત્રણેય સેનાઓના વડા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં, ભારતે પાકિસ્તાન સામે અત્યંત કડક પગલાં લીધા છે. કેન્દ્રીય કેબિનેટ સુરક્ષા સમિતિ (CCS)ની તાત્કાલિક બેઠક બાદ ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જે ભારત અને પાકિસ્તાનના સંબંધોને એક નવા તણાવપૂર્ણ તબક્કામાં લઈ જઈ શકે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભારતે પાકિસ્તાનમાં પોતાનું દૂતાવાસ તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે જળ વહેંચણી સંબંધિત સિંધુ જળ સંધિ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર ભારત છોડી દેવાનો આદેશ આપ્યો છે.
સંરક્ષણ મંત્રીએ ત્રણેય સેનાના વડા સાથે વાત કરી
આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS), ત્રણેય સેનાઓના વડા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ સંરક્ષણ મંત્રીને પહલગામ અને સમગ્ર જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech