રાજકોટમાં મહાનગરપાલિકા, પીડબ્લ્યુડી અને પોલીસ તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને પગલે સર્જાયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને ગઇકાલે તા.૨૫ માર્ચના રોજ એક વર્ષ પૂરું થયું છતાં પીડીત પરિવારોને હજુ સુધી ન્યાય મળ્યો ન હોય આ મામલે વિપક્ષ દ્વારા અગ્નિકાંડના મૃતકોની પ્રથમ વરસીએ હવન અને કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું જેમાં સ્વયંભુ લોકો ઉમટ્યા હતા અને આક્રોશ જોવા મળ્યો હતો. પીડિત પરિવારોને ન્યાય આપવા તેમજ કેસ ડે ટૂ ડે ચલાવવા માંગ કરાઇ હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિકાંડની દુર્ઘટના બની હતી તે સ્થળ ઉપર ગઇકાલે સવારે ૧૧ કલાકે સરકારને સદબુદ્ધિ, મૃતાત્માઓને મોક્ષ અને પિડીત પરિવારોને ન્યાય મળી રહે તેવી પ્રાર્થના સાથે હવનન આ તો કે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે પિડીત પરિવારોમાંથી પરિવારદીઠ એક વ્યક્તિને નોકરી મળે, અપૂરતી સહાય આપવામાં આવી છે તેમાં પુરતી સહાય આપવામાં આવે, મોરબી કાંડ અને હરણી કાંડ જેટલી સહાયની રકમ રાજ્ય સરકાર ચૂકવે તેમજ કોર્પોરેટર અને ધારાસભ્ય કે પદાધિકારીઓની સામે ફક્ત નિવેદનો નોંધી ક્લીન ચીટ આપી હતી ત્યારે પુનઃ આ લોકોની સામે ફેર તપાસ કરી તેમને પણ આરોપી બનાવે. તદઉપરાંત કેસ ડે ટુ ડે ચલાવવા સહિતની માંગણી છે.
ઉપરોક્ત હવન અને કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલીયા, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ડો.હેમાંગ વસાવડા, નયનાબા જાડેજા, રોહિતસિંહ રાજપૂત વિગેરેની આગેવાનીમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech