નરેન્દ્ર મોદીએ બુધવારે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું અને તેમને કાર્યકારી વડા પ્રધાન તરીકે કામ ચાલુ રાખવાનું કહ્યું છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચેની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ રાજીનામું આપતા જોવા મળી રહ્યા છે. PM મોદીએ દિલ્હીમાં NDAની બેઠક પહેલા રાષ્ટ્રપતિ મુર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
ભાજપના નેતૃત્વમાં એનડીએને 294 બેઠકો સાથે બહુમતી મળી છે. એનડીએ સરકાર બનશે એવી જ સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ભાજપને એકલા હાથે બહુમતી મળી નથી. જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે એનડીએના સાથી પક્ષો તેનો સાથ છોડી શકે છે.
જો આવી સ્થિતિ સર્જાશે તો એનડીએ માટે ફરીથી સત્તામાં આવવું મુશ્કેલ બનશે. સૌથી વધુ ચર્ચા બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ ચીફ નીતીશ કુમાર અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુને લઈને થઈ રહી છે. જો કે બંને નેતાઓએ એનડીએ સાથે હોવાના સંકેત આપ્યા છે.
આજે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ છે, જેમાં તેના તમામ સહયોગી દળોના અગ્રણી નેતાઓ ભાગ લેવા પહોંચી ગયા છે. નીતિશ કુમાર પણ દિલ્હી પહોંચી ગયા છે. ચંદ્રાબાબુ નાયડુ પણ આવવાના છે. આ બેઠકમાં સરકારની રચના અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. ભાજપને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર બનશે. આ કારણોસર 7 જૂને સંસદભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠક સવારે 11.30 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં ચૂંટણી પરિણામોની સમીક્ષા સાથે સરકારની રચનાની સંભવિત રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટે વર્તમાન લોકસભાને ભંગ કરવાની ભલામણ કરી છે. આ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ જ પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech