લોકસભામાં વિપક્ષના નેતા રાહત્પલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે સંભલ જવા માટે રવાના થયા હતા પરંતુ તેમને યુપી બોર્ડર પર રોકવામાં આવ્યા હતા અને તેમનો કાફલો આગળ વધી શકયો ન હતો. રાહત્પલ અને પ્રિયંકાના કાફલાને દિલ્હી પરત મોકલી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરો હવે દિલ્હી પરત ફરી રહ્યા છે. મળતી માહિતી મુજબ હવે રાહત્પલ અને પ્રિયંકા સહિત કોંગ્રેસના તમામ સાંસદો સંસદમાં જશે.
કોંગ્રેસના નેતાઓ કેસી વેણુગોપાલ, કેએલ શર્મા, ઉલ રમણ સિંહ, તનુજ પુનિયા અને ઈમરાન મસૂદ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાહત્પલ અને પ્રિયંકા ગાંધી સાથે ગયા હતા. રાહત્પલ અને પ્રિયંકા તાજેતરની હિંસામાં માર્યા ગયેલા લોકોને મળવાના ઈરાદા સાથે સંભલ જવા માંગતા હતા. જો કે સ્થાનિક પ્રશાસને ૧૦ ડિસેમ્બર સુધી સંભલમાં નેતાઓ અને સામાજિક કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબધં મૂકયો છે. કોંગ્રેસના નેતાઓના રવાના થાય તે પહેલા જ પોલીસ સંપૂર્ણ તૈયાર હતી અને દિલ્હીની બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસ પ્રશાસને રાહુલ અને પ્રિયંકા ગાંધીના કાફલાને ગાઝીપુર બોર્ડર પર રોકી દીધા હતા. દિલ્હી–યુપી બોર્ડર પર પોલીસ દ્રારા રોકવામાં આવ્યા બાદ રાહત્પલ ગાંધીએ કહ્યું કે પોલીસની ગાડીમાં જ અમારામાંથી પાંચને લઇ જાઓ. પછી રાહત્પલ ગાંધીએ પોલીસ પાસે માંગ કરી છે કે તેમને એકલા જવા દેવામાં આવે. તેમણે પોલીસને કહ્યું કે હત્પં તમારી કારમાં સંભલ જઈશ, મને લઈ જાઓ. રાહત્પલની આ માંગ પર પણ પ્રશાસન હજુ સુધી સહમત નથી થયું અને રાહત્પલ ગાંધીના કાફલાને ઉત્તર પ્રદેશ બોર્ડર પર રોકી દેવામાં આવ્યો.
રાહત્પલ ગાંધીએ કહ્યું, અમે સાવધાનીથી જવા માંગીએ છીએ, પોલીસ અમને રોકી રહી છે. વિપક્ષના નેતા હોવાના કારણે હત્પં જઈ શકું છું. હત્પં એકલો જવા તૈયાર છું, પોલીસ સાથે જવા તૈયાર છું. મને ત્યાં જવાનો અધિકાર છે. હત્પં સંવિધાન હેઠળ જઈ શકું છું, અમે જોવા માંગીએ છીએ કે સંભલમાં શું થયું છે. અમે લોકોને મળવા માંગીએ છીએ, મારો અધિકાર મને આપવામાં આવી રહ્યો નથી. આ લોકો લોકતંત્રને ખતમ કરવા માગે છે, અમે લડતા રહીશું.
કોંગ્રેસ સંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સંભલમાં જે થયું તે ખોટું છે. રાહત્પલજી વિપક્ષના નેતા છે, તેમને રોકી શકાય નહી. પોલીસ તેમના અધિકારો છીનવી રહી છે. યુપીની સ્થિતિ વિશે વિચારો, યુપીનો કાયદો અને વ્યવસ્થા ખરાબ છે. પોલીસ દ્રારા રસ્તો રોકયા બાદ કોંગ્રેસના કાર્યકરો ગાઝીપુર નેશનલ હાઇવે ૯ પર બેસી ગયા અને રઘુપતિ રાઘવ ગાવાનું શ કયુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech