બાબા સાહેબ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને આજે કોંગ્રેસે સંસદ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર ધક્કામુક્કીના આરોપ લગાવ્યા હતા. ધક્કામુક્કીમાં ભાજપના બે સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂતને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે, આ ધક્કામુક્કીને લઈને રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
સંસદમાં આજે હોબાળો થતાં વાતાવરણ ગરમાયું હતું. વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો મારી પાડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે, રાહુલે સ્પષ્ટતા કરી હતી કે, અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યાં ધક્કા-મુક્કી થઈ ગઈ હતી. રાહુલે ભાજપના સાંસદો પર પ્રવેશ દ્વાર પર રોકવાનો આરોપ લગાવ્યો છે. રાહુલે કહ્યું કે, ભાજપના સાંસદો મને ધક્કો મારી રહ્યા હતાં અને ધમકી આપી રહ્યા હતાં. અમે લોકો સીડી પર ઊભા હતાં. કેમેરામાં બધું કેદ છે. ખડગેજી સાથે પણ ધક્કા-મુક્કી કરવામાં આવી. જોકે, અમને ધક્કા-મુક્કીથી કંઈ નથી થતું. ભાજપ સાંસદ અમને સંસદમાં જવાથી રોકી નહીં શકે.
મને ઈજા થઈઃ ખડગે
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ આરોપ લગાવ્યો કે, ભાજપના સાંસદોએ ધક્કા મુક્કી કરી તેમાં મારા ઢીંચણમાં ઈજા થઈ છે. આ સંબંધિત ખડગેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર પણ લખ્યો છે.
રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે હું સંસદના પ્રવેશદ્વારની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ભાજપના સાંસદો મને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ મને ધમકી આપી રહ્યા હતા, તેથી આ બન્યું. આ સંસદનો મામલો છે. ત્યાં પ્રવેશ છે અને અમને અંદર જવાનો અધિકાર છે. મુખ્ય મુદ્દો એ છે કે તેઓ બંધારણ પર હુમલો કરી રહ્યા છે.
કોંગ્રેસ પર બાબાસાહેબ આંબેડકરના અપમાનનો આરોપ લગાવનારા ભાજપના સાંસદોના વિરોધ પર કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, તેઓ સ્વબચાવમાં વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે જ તેઓએ અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકરને ઘણું નુકસાન પહોંચાડ્યું. બીજેપીના સાંસદ કે.સી. સોશિયલ મીડિયા ટીમે ફરીથી સોરોસની તસવીર મૂકી અને આ આંબેડકરજીનું અપમાન છે. શું તમે જાણો છો કે આ લોકો શું કરી રહ્યા છે તેમની માનસિકતા બંધારણની વિરુદ્ધ છે.
ઈન્ડિયા એલાયન્સના સાંસદો સંસદ ભવનના મકર ગેટની દિવાલ પર ચઢી ગયા હતા અને રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી બદલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની માફી અને રાજીનામાની માગણી સાથે પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો હતો. ભાજપ સાંસદોએ કોંગ્રેસ પાર્ટી પર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવીને સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMસલાયામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પર હેલ્થ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ
June 09, 2025 10:59 AMરાજકોટની વસ્તી કેટલી, ૨૦ લાખ કે તેથી વધુ?
June 09, 2025 10:57 AMરબારીકા વાડી વિસ્તારમાં કુવામાં ઝંપલાવી યુવકનો આપઘાત
June 09, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech