જીએસટી ના અમલના સાત વર્ષ બાદ હવે રાજકોટ અમદાવાદ અને સુરતમાં ટિ્રબ્યુનલ ની રચના માટેની યોજના ચાલી રહી છે આ અંગેની સરકાર દ્રારા જાહેરાત પણ કરવામાં આવી છે પરંતુ ટિ્રબ્યુનલ ન્યાય કરતાઓ માટે મોંઘો સાબિત થશે.
ઇન્કમટેકસમાં જેમ અપીલ માટે કરદાતાઓને ડિમાન્ડની ૧૦% રકમ ભરવાની હોય છે તેવી જ રીતે જીએસટીમાં પણ ટુબિનલમાં અપીલ દાખલ કરવા માટેની ફી અને વિવાદિત રકમના ૧૦% રકમ ભરવા બાબતે કરદાતાઓને ટિ્રબ્યુનલ માંથી ન્યાય મેળવવા માટે વધુ પિયા ખર્ચવા પડશે.
રાજકોટમાં ટ્રીબ્યુનલ બનાવવા માટે જીએસટી વિભાગ જમીનથી માંડી ટ્રીબ્યુનલ ઓફિસ બનાવવા માટેની પ્રક્રિયા શ કરી દેવામાં આવી છે. કરદાતાઓને યારે જીએસટી તરફથી કોઈ કેસમાં અન્યાય જેવું લાગે ત્યારે અપીલમાં જવા માટે કેસની રકમના ૧૦% ભરવા પડે છે અપીલ પણ નીકળી જાય તો ટિ્રબ્યુનલ સમક્ષ જવા માટેનો રસ્તો હોય છે પરંતુ તેમાં જવા માટે વિવાદિત રકમના ૧૦% વધુ ભરવા પડે છે.
ટ્રીબ્યુનલ ની નોન રિફંડેબલ ઓછામાં ઓછી ૫૦૦૦ અને વધુમાં વધુ ૨૫૦૦૦ છે.સ્ટેટ જીએસટી અને સી જીએસટી મળીને ડબલ રકમ ૫૦૦૦૦ની ફી ભરવી પડે તેવી સંભાવના છે. અહીં સુધી પહોંચવા માટે કરદાતાઓએ વિવાદિત કેસની રકમના ૨૦ ટકા અપીલના ભરવાના તેમજ વધુમાં વધુ ૫૦,૦૦૦ નોનરિફંડેબલ પણ ભરવા પડી શકે તેમ છે આવા કિસ્સામાં કરદાતાઓને અહીં સુધી પહોંચવું પડી શકે તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રીબ્યુનલ ફી પણ મોંઘી હોય છે જીએસટીમાં ટ્રીબ્યુનલ સુધી આવતા કેસની રકમમાં હોય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech