પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ઝુંડાળાના મહેર સમાજ ખાતે કરવામાં આવ્યુ હતુ, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડયા હતા.
પોરબંદર શહેરી વિસ્તારનાં લોકો માટે પોરબંદર છાયા નગરપાલિકા તથા વહિવટી તંત્ર દ્વારા સરકારની સુચના અન્વયે સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઝુંડાળા મહેર સમાજ, પોરબંદર ખાતે આયોજન કરાયું હતુે. જેમાં પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા,નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સહિત સુધરાઇ સભ્યો દિલીપભાઇ ઓડેદરા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપયોગી આધાર કાર્ડ (નવા તથા અપડેટ), રેશન કાર્ડમાં નામ દાખલ, કમી, તથા સુધારો, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મેડીકલ ઓફિસરનો દ્વારા ઉંમરનો દાખલો, ડાયાબીટીસ બી.પી. ચકાસણી, બેંકની સેવાનો, નવુ બેંક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવન જયોત વિમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, સુક્ધયા સમૃધ્ધી યોજના, અટલ પેન્શન યોજના, કેસલેસ લીટરસી કેમ્પ, બસ કનેકશન પાસ, નોન ક્રીમલીયર સર્ટીફીકેટ, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, કુંવરબાઇનું મામે, પ્રોપર્ટી ટેક્ષ, ગુમાસ્તાધારા અરજી, પ્રધાનમંત્રી આવાસ યોજના, શ્રવણતીર્થ યોજના, બાળકોના આધારકાર્ડ, વિધવા સહાય, એપ્રેન્ટીસ યોજનાની અરજી વગેરે લોકોને ઉપયોગી સરકારી યોજનાઓનો લાભ અંગેનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech