સિવિલમાં 108 મારફતે અનેક લોકો સારવાર માટે દાખલ થતા હોય છે જેમાં ઘણા કેસમાં ખાસ કરીને સિનિયર સીટીઝન દર્દીના કોઈ સગ્ગા કે પરિવારજનો ન હોવાથી તેમની સારવાર અને આશ્રય આપાવવા માટે હોસ્પિટલની હેલ્પ ડેસ્કની ટીમ કાર્યરત છે. દરમિયાન સિવિલમાં 75 વર્ષીય વૃધ્ધા દાખલ થયા હોય અને તેમના કોઈ પરિવાર ન હોવાથી હેલ્પ ડેસ્કની ટીમે સારવાર અપાવતા સ્વસ્થ બન્યા હતા. બાદમાં સિનિયર સીટીઝન માટે સરકાર દ્વારા કાર્યરત એલ્ડર હેલ્પ લાઈન ૧૪૫૬૭ નંબર અંગે હેલ્પ ડેસ્કની ટીમે વૃધ્ધાને જાણકારી આપતા ફોન કર્યો હતો. એલ્ડર લાઇનના ગુજરાત ના સિનિયર અધિકારી સીનું થાયિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના સ્વયંમ સેવક રાજદીપભાઈ પરમાર રાજકોટ સિવિલ હોસ્પિટલએ પહોંચી વૃધ્ધાને સુરેન્દ્રનગર નિરાંત ઘર ખાતે સુખદ આશ્રય આપાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech