ગાંધીધામની ગેસ એજન્સીના સંચાલકે ભાગીદારની ખોટી ડિજિટલ સહીથી લોન મંજુર કરાવી તેમાંથી 30 લાખ ઉપાડી લીધાની ફરિયાદનોધાઇ હતી. આરોપીઓ પોલીસ પક્કડ થી દુર છે. બેન્કને લીગલ નોટિસ આપીને ફરીયાદીએ માંગેલ વિગત આપવામાંન આવતાં ફરિયાદી આરબીઆઈના દ્વાર ખટખટાવ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ અમદાવાદના રહીશ અવિનાશ હરગોવિંદ આચાર્યના પિતાએ 1985માં સેકટ-1એ માં નવનીત ગેસ એજન્સી એચ.પી. ગેસ સર્વિસ નામની પેઢી તેના પુત્ર નવનીત આચાર્ય નામે લીધી હતી.આ પરિવાર ત્યારબાદ 2004 માં અલગ પડતાં એજન્સીમાં ફરિયાદીની 42% તથા નવનીતભાઈ ની 55 ટકા ભાગીદારી હતી જે પાર્ટનરશીપ પણ કરાઈ હતી. 19/2/19 ના નવનીત ભાઈનું અવસાન થતા તેમના પત્ની કાશ્મીરા બેન આચાર્ય ભાગીદારી પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયા હતા .ફરિયાદી અમદાવાદ રહેતા હોય એજન્સી કાશ્મીરા બેનનો દીકરો રસેશ આચાર્ય સંભાળતો હતો. ફરિયાદી રૂબરૂ અથવા ફોન ઉપર હિસાબ પૂછતાં ત્યારે વાયદા કરવામાં આવતા હતા. સંબંધમાં ફરિયાદીના ભાભી અને ભત્રીજા થતા હોવાથી સંબંધ ખરાબ ન થાય તે માટે ફરીયાદી જતું કરતા હતા. દરમ્યાન 20/7/24 ના એચડીએફસી બેન્ક ની નેટ બેન્કિંગ કીટ તેના સરનામે મળી હતી. જેમાં નવનીત ગેસ એજન્સીનું નામનું ખાતું ખુલ્યું હતું તેમાં વર્કિંગ કેપિટલ લિમિટ 2.29 કરોડની લોન મેળવી તેમાંથી 30 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. બંને ફરિયાદીની ખોટી સહી કરી લોન મેળવી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી. જે બાબતે ફરિયાદ પણ કરવામાં આવ્યા બાદ પોલીસે તપાસ પણ હાથ ધરી છે.સુત્રોના દાવા મુજબ કિસ્સામાં બેંકની ભૂમિકા પણ શંકાસ્પદ છે. ભાગીદારી પેઢીનું ખાતું ખોલાવવા માટે બંને ભાગીદારોની જરૂર પડતી હોય છે ત્યારે આ કિસ્સામાં એક ભાગીદારની ગેરહાજરી છતાં નવું ખાતું કેવી રીતે ખુલી ગયું તે પણ એક ચચર્નિો વિષય છે. ફરિયાદીએ બેંકને લેખિતમાં રજૂઆત કરી છતાં જવાબન આપતા ફરીયાદીએ આરબીઆઈ માં પણ ફરીયાદ કરી છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીની એન.ઓ.સી લેવામાં આવી છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓડદર બાદ હવે ટુકડા ગોસાના દરિયાકિનારેથી મળ્યુ મારીઝુઆના હસીસનું વધુ એક પેકેટ
June 09, 2025 03:08 PMજી.આઇ.ડી.સી.માં બંધ ફેકટરીનના પટાંગણમાં લાગેલી આગને બુઝાવાઇ
June 09, 2025 03:07 PMકુતિયાણામાં ૧૧ લોકોને હડકાયુ શ્ર્વાન કરડતા સારવાર માટે પોરબંદર લવાયા
June 09, 2025 03:06 PMપરિવારનો માળો પીંખાયેલા વૃદ્ધોના રાણાખીરસરાના આશ્રમમાં સુગરીઓએ કર્યા ૩૦ જેટલા માળા!
June 09, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech