પોરબંદરના મંડેર ગામે સામાજિક કાર્યકર ઉપર દાના ધંધાર્થીએ હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
પોરબંદરના મંડેર ગામે વણકરવાસમાં રહેતા અને સમાજ કાર્યકર તરીકે સેવા આપતા દિનેશ મંગાભાઈ પરમાર દ્વારા એવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે સંદીપ લીલાભાઈ મોકરીયા નામનો તેના ગામનો ઈસમ અગાઉ દારૂનો ધંધો કરતો હતો અને તેથી ફરિયાદી દિનેશે સંદીપ મોકરીયા ની વિરૂધમાં અરજીઓ કરેલી હતી એનું મનદુ:ખ રાખીને સંદીપે દિનેશને ગાળો બોલી હતી અને તારાથી જે થાય તે કરી લેજે હું કોઈથી બીતો નથી તું અહીં જ ઉભો રહેજે હું હમણાં આવું છું તેમ કહી લાકડાનો ધોકો લઈને આવ્યો હતો અને બંને પગમાં ધોકા વડે માર માર્યો હતો અને હત્યાની ધમકી આપીને નાસી ગયો હતો.જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાના ભંગના ગુના બદલ સંદીપ મોકરીયા સામે પોલીસે કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech