ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ ) પર વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ્સ (વિવીપીએટી ) વડે 100 ટકા વોટ વેરિફિકેશનની માંગણી કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી હતી અને સૂચવ્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં વિવીપીએટી સ્લિપમાં બાર કોડ પર પણ વિચાર કરવો જોઈએ.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પરિણામોની ઘોષણા પછી, ઉમેદવારોની વિનંતી પર એન્જિનિયરોની ટીમ દ્વારા માઇક્રોક્ધટ્રોલર ઇવીએમમાં બર્ન મેમરીની તપાસ કરી શકાય છે. ઉમેદવારે પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર આ વિનંતી કરવાની રહેશે.વાસ્તવમાં, ચૂંટણી દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ ) દ્વારા પડેલા મત સાથે વોટર-વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેઈલ (વિવીપીએટી ) સ્લિપ્ને મેચ કરવાની સૂચનાઓ માંગતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટે 18 એપ્રિલે સુનાવણી પૂરી કરી અને ચુકાદો અનામત રાખ્યો. ત્યારબાદ થોડી વધુ માહિતી લીધા બાદ કોર્ટે બુધવારે બીજી વખત સુનાવણી કરી અને પછી નિર્ણય સુરક્ષિત રાખ્યો.
હાલમાં વિવીપીએટી વેરિફિકેશન હેઠળ લોકસભા મતવિસ્તારના દરેક વિધાનસભા મતવિસ્તારના માત્ર પાંચ મતદાન મથકોના ઈવીએમ વોટ અને વિવીપીએટી સ્લિપ મેચ થાય છે. આ મહિનાની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ફક્ત પાંચ રેન્ડમલી પસંદ કરેલ ઈવીએમ ને ચકાસવાને બદલે તમામ ઈવીએમ મતો અને વિવીપીએટી સ્લિપ્સની ગણતરીની માંગ કરતી અરજી પર ને નોટિસ જારી કરી હતી.
આ પહેલા બુધવારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે કોઈપણ અન્ય બંધારણીય સત્તાના કામકાજને નિયંત્રિત કરી શકતા નથી. ચૂંટણી પંચે અમારી શંકાઓ દૂર કરી છે. અમે તમારી વિચાર પ્રક્રિયા બદલી શકતા નથી. અમે શંકાના આધારે આદેશ જારી કરી શકતા નથી. કોર્ટે ઈવીએમની કામગીરીને લગતા ચાર-પાંચ પ્રશ્નો પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યા હતા. કોર્ટે કહ્યું કે અમને વધુ માહિતીની જરૂર છે. કારણ કે અમને મામલાના તળિયે એટલે કે ઊંડાણમાં માહિતી જોઈએ છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું, અમે વારંવાર પૂછાતા પ્રશ્નોનો અભ્યાસ કર્યો. અમને ફક્ત ત્રણ-ચાર સ્પષ્ટતા જોઈએ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબીસીજી દ્વારા 41 ધારાશાસ્ત્રીઓ માટે રૂ. 14. 40 લાખની માંદગી સહાય મંજુર
June 09, 2025 02:37 PMખાનગી બસ પલટી જવાના અકસ્માતમાં ૯૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો
June 09, 2025 02:33 PMરાણાવાવની સરકારી હોસ્પિટલે ડાયાલીસીસની કામગીરી અંતે થઇ શરૂ
June 09, 2025 02:32 PMજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech