ટંકારાના પધ્મશ્રી દયાળમુનિનું નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમા ભારે શોક છવાઈ ગયો છે. સાંજે સાંજે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસ દ્રારા તેઓને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. તેઓનો પાર્થિવ દેહ અંતિમ દર્શન બાદ પંચભૂતમાં વિલિન થયો છે.
ટંકારામા દયાળમુનિ તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારે ૮૯ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી આજે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સંસ્કૃત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રે વૈધ, સંશોધક, વકતા, ગાયક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ હતા. તેઓનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ ટંકારામાં થયો હતો. દયાળમુનિએ ચારેય વેદના બધા મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે. તેઓને ભારત સરકાર દ્રારા પધ્મશ્રી એવોર્ડ મળતા ટંકારા સહિત મોરબી જિલ્લ ાનું અને ગુજરાતનું ગૌરવ વધ્યું હતું.
તેઓની સ્મશાન યાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળી હતી આ પહેલા વિવિધ ક્ષેત્રોના આગેવાનો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા હતા. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મામલતદાર, આર્યવિરો, રાજકોટના નામાંકિત ડોકટરો સહિતના જોડાયા હતા. સમગ્ર પંથકમાં ભારે શોક વચ્ચે તેમનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલિન થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMસલાયામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પર હેલ્થ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ
June 09, 2025 10:59 AMરાજકોટની વસ્તી કેટલી, ૨૦ લાખ કે તેથી વધુ?
June 09, 2025 10:57 AMરબારીકા વાડી વિસ્તારમાં કુવામાં ઝંપલાવી યુવકનો આપઘાત
June 09, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech