ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈ ગ્રામ્ય પંથકની નદીઓ બે કાઠે થઈ છે. ત્યારે ઘોઘાના સારવદર ગામે રહેતી એક બાળકી તેના માતા સાથે ઘરે હતી દરમિયાન રમતા રમતા વાડી વિસ્તારમાંથી વહેતા પાણીના વોકળામાં પડી જતા પાણીના પ્રવાહ સાથે તણાઈ જતા અરેરાટી છવાઈ જવા પામી હતી. ઘટનાને લઈ ભાવનગર ફાયર ટીમ અને ઘોઘા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પરંતુ બાળકીની શોધખોળના અંતે રાત્રી સુધી અત્તો પત્તો લાગવા પામ્યો ન હતો. દરમ્યાન આજે સવારે પુન: શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને તણસા નજીકથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાથી ઘોઘા પંથકમાં અરેરાટી છવાઈ હતી.
ભાવનગર જિલ્લાને મેધરાજા ધમરોળ્યુ હતું. જેમાં ઘોઘા પંથકમાં ગાજવિજ સાથે અવિરત વરસાદ પડ્યો હતો. જેમાં ઘોઘા પંથકમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગ્રામ્ય પંથકની નદીઓમાં ઘોડાપુર વહેતા જોવા મળ્યા હતા. અને બે કાંઠે વહેતી થઈ હતી. દરમિયાન વરસાદી માહોલ વચ્ચે ઘોઘા તાલુકાના સારવદર ગામે દુર્ઘટના સર્જવા પામી હતી. સારવદર ગામે વાડી વિસ્તારમાં રહેતી અને સરકારી શાળામાં ધો. છમા અભ્યાસ કરતી બાળકી સોનલ અશોકભાઈ ચુડાસમા (ઉ.વ. ૧૨) સાંજના ચાર કલાકે પોતાના ઘરે માતા સાથે હતી તે વેળાએ રમતા રમતા વાડી વિસ્તારના વોકળા સુધી વરસાદમાં પહોંચી જતા વોકળામાં વહેતા ઘસમસતા પાણીના પ્રવાહ સાથે બાળકી સારવદર ગામે નરેશભાઈના ઘર પાછળથી પસાર થતા વોકળામાં ઉપરવાસના ભારે વરસાદને લઈ ઘસમસતો પાણીના પ્રવાહમાં તણાતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી.
બનાવના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા ઘોઘા પોલીસ સ્ટાફ અને ભાવનગર ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. દરમિયાન નદીના પાણીમાં બાળકીની શોઘખોળ હાથ ધરી હતી. પરંતું રાત્રી સુધી કોઈ અત્તો પતો લાગવા પામ્યો ન હતો. જ્યારે આજે સવારથી ફરી શોધખોળ હાથ ધરાઈ હતી અને તણસા નજીકથી હતભાગી બાળકીનો મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી છવાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓડદર બાદ હવે ટુકડા ગોસાના દરિયાકિનારેથી મળ્યુ મારીઝુઆના હસીસનું વધુ એક પેકેટ
June 09, 2025 03:08 PMજી.આઇ.ડી.સી.માં બંધ ફેકટરીનના પટાંગણમાં લાગેલી આગને બુઝાવાઇ
June 09, 2025 03:07 PMકુતિયાણામાં ૧૧ લોકોને હડકાયુ શ્ર્વાન કરડતા સારવાર માટે પોરબંદર લવાયા
June 09, 2025 03:06 PMપરિવારનો માળો પીંખાયેલા વૃદ્ધોના રાણાખીરસરાના આશ્રમમાં સુગરીઓએ કર્યા ૩૦ જેટલા માળા!
June 09, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech