પોરબંદર નજીકના વિસાવાડા ગામે ખારીબા ડેમની આજુબાજુમાં રહેતા ખેડૂતોએ નડતરપ સ્ટ્રક્ચરને દૂર કરવાની માંગણી વારંવાર કરી છે અને તે અનુસંધાને જિલ્લા કલેકટરના ડિઝાસ્ટર વિભાગ દ્વારા ગત ચોમાસામાં હુકમ કર્યો હોવા છતાં ત્રણ તંત્રના સંકલનના અભાવે આ કામગીરી હજુ સુધી કરવામાં નહીં આવતા આ વિસ્તારના ધરતીપુત્રોમાં આક્રોશ જોવા મળ્યો છે અને વહેલી તકે ચોમાસા પહેલા જ કામગીરી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
વિસાવાડા ના ખેડૂતોએ કરેલી રજૂઆત અનુસંધાને પોરબંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ક્ષાર -અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેર પોરબંદરના તાલુકા વિકાસ અધિકારી અને પોરબંદરના ગ્રામ્ય મામલતદારને પત્ર પાઠવીને ચોમાસા દરમિયાન જ જણાવ્યું હતું કેવિસાવાડા ગામના ખાતેદારો તથા ખારીબા ડેમની બાજુમાં રહેતા ખેડુતો દ્વારા, વિસાવાડા ગામે ખોડીયાર માતાના મંદીર તરફ જતા રસ્તા ઉપર જુનો હૈયાત રસ્તાનું સ્કટ્રચર બીનજરી હોવાનું જણાવી અને પાણીનો નિકાલ ન થઈ શકતો હોય, તેના કારણે તેઓના રહેણાંક મકાન તથા ખેતીની જમીનમાં પાણી ભરાતાં હોય તેમજ હૈયાત વોકળામાં વ્યાપક પ્રમાણમાં દબાણ થયેલ હોય તે દબાણો દુર કરવામાં આવે તો પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો હોવાનું જણાવી તે મુજબ કાર્યવાહી કરવા રજુઆત કરેલ. તથા પુન:રજુઆત થયેલ છે. જે રજુઆત સંદર્ભે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પંચાયત, ને સ્થળ ખરાઈ કરી અહેવાલ મોકલી આપવા સુચના આપવામાં આવેલ તથા મામલતદાર પોરબંદરને જરી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે.
મામલતદાર પોરબંદર ગ્રામ્ય દ્વારા ઉક્ત રજુઆત અન્વયે ખરાઈ કરાવતાં તેઓ ધ્વારા અરજદારોને સાથે રાખી વાદગ્રસ્ત સ્થળની સ્થળ ખરાઇ કરતાં હકીકતલક્ષી અહેવાલ રજુ કરેલ છે.
માંગણીવાળું સ્થળ વીસાવાડા ગામની પશ્ર્ચિમ દિશામાં ખોડીયાર માતાના મંદીર તરફ જતાં હૈયાત રસ્તાના કાંઠે આવેલ છે, જે સ્થળની મુલાકાત લેતાં, હાલ તે રોડની બંકો બાજુ હૈયાત વોકળો આવેલ છે. અને તે વોકળાના કાંઠે ખોડીયાર માતાના મંદીર તરફ જતો જુનો રોડ આવેલ છે. જે રોડ અંદાજે ૨૫ વર્ષ જુનો આવેલ છે. અને તે રોડ વોકળાંના સમાંતર આવેલ હોય ભુતકાળમાં ભારે વરસાદના પરીણામે રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે પસાર થવું મુશ્કેલ હોય તેની અવેજીમાં તેને લાગુમાં નવો રસ્તો ઉંચાઈ ઉપર બનાવવામાં આવેલ છે.
અને હાલ તે રસ્તાનો ગામના લોકો ઉપયોગ કરે છે. ઉકત નવો ૨૨તો અંદાજે ૫ થી ૬ વર્ષ પહેલાં બનેલ છે. અને તેનો ઉપયોગ શરુ કરતાં જુનો રસ્તો બંધ થયેલ છે. પરંતુ તેનું સ્ટ્રકચર યથાવત રહેલ છે. તે ૨૨તો ખોડીયાર માતાના મંદીર થઈ પાલખડા ગામને જોડતો આવેલ છે. પરંતુ રજુઆતકર્તા ખાતેદારોના જણાવ્યા મુજબ જુના રસ્તાનું સ્ટ્રકચર બીનજરૂરી ઉપયોગ વગરનું આવેલ હોય તેમજ વોકળામાં ઘણી જગ્યાએ બીનજરૂરી વનસ્પતિઓ તથા બાવળના ઝાડ ઉગી નીકળેલ હોય જેથી તે સ્ટ્રકચર દુર કરવામાં આવે તથા વોકળાની સફાઈ કરવામાં આવે તો ઉપરવાસમાંથી આવતા પાણીનો પ્રવાહ એકસરખો વોકળામાંથી પસાર થઇ શકે તેમ છે. અને તેમ થવાથી વીસાવાડા ગામે પસાર થતાં નેશનલ હાઇવેની ઉતર-પુર્વ બાજુના ખાતેદારોના ખેતરમાં હાલ જે પાણી ભરાઈ રહે છે. તેનો વહેલો નીકાલ થઈ શકે તેમ છે. ને સિવાય તે રસ્તો કયા વિભાગ હસ્તક રહેલ છે. તે સ્પષ્ટ થતો નથી.
પરંતુ હાલ જે નવો રસ્તો બનાવવામાં આવેલ છે તે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા બનાવવામાં આવેલ છે. તેમજ ડેમ વિસ્તાર ઘેડ સીંચાઈ પેટા વિભાગ હસ્તકનો હોય, અને તે સ્ટ્રકચર ડેમના પાણી નીકોલમાં અવરોધ કરતું હોય. તે અવરોધ દુર કરવા ઘેડ સિંચાઈ પેટા વિભાગ તથા માર્ગ અને મકાન(પંચાયત) વિભાગ તથા ગ્રામ પંચાયત એ સંકલનમાં રહી અવરોધ દુર કરવાનો રહે છે. અને તે દુર કરવા કોઈ વાંધો કે હરક્ત સરખું રહેલ નથી.
(અનુ. છઠ્ઠા પાને)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech