ખંભાળિયાના રામનાથ રોડ પર વરસાદી પાણી ભરાવવાના પ્રશ્નનું આખરે નિરાકરણ

  • June 11, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફૂટપાથ પર હોલ કરી રસ્તા પર ત્રણ જગ્યાથી પાણીના નિકાલની વ્યવસ્થા


ખંભાળીયામાં રામનાથ રોડ પર એસ.એન.ડી.ટી. પાસે સોસાયટી નજીકના મેઈન રોડ પર વરસાદમાં ૩ થી૪ જેટલુ ફૂટ પાણી ભરાઈ જતું હોય તથા ચાલુ વરસાદે ત્યાંથી નીકળવા જતા ટુ વ્હિલર વાળા પડતા હોય તથા વરસાદ રહી ગયા પછી પણ લાંબો સમય ત્યાંથી ચાલીને ના નીકળાય તેવું હોય તાજેતરમાં માત્ર ૩ ઇંચ વરસાદમાં એક મહિલાને અકસ્માત થયો હતો. જેઓ એક્ટિવા સાથે પડી ગયા હતા તથા મોમાં પાણી ચાલ્યું ગયું હતું.


આ બનાવના પગલે સ્થાનિક અગ્રણી દ્વારા પાલિકા સત્તાધીશો સદસ્યોને રજૂઆતો તથા અખબારી હેવાલોના પગલે તંત્ર દ્વારા આ રસ્તા પર આવેલી ફૂટપાથમાં એક ફૂટ મોટો હોલ કરીને ત્રણ જગ્યાએથી પાણીનો નિકાલ રસ્તા પરથી થાય તે માટે કામગીરી કરી હતી.


અગાઉ માત્ર એક જગ્યાએ મોટો હોલ તથા બે ત્રણ નાના પાઇપો જ હોય અહીં સમગ્ર સોસાયટીઓ તથા વોકળાનું પાણી આવતા અહીં પાણી મોટા પ્રમાણમાં ભરાતું હોય દર ચોમાસે આ પ્રશ્ન થતો હોય હાલના પાણીના નિકાલ ઉપરાંત ફૂટથી વધુ જગ્યાના નવા ત્રણ પાણી નિકાલના રસ્તા થતા આ રસ્તા પરનો પાણી ભરાવાનો પ્રશ્ન હવે હલ થશે. નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી તથા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા તથા ઈજનેર એન.આર.નંદાણીયા દ્વારા આ કાયમી નિકાલનું કાર્ય થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News