પોરબંદરની તણીનું અપહરણ કરીને એક ઇસમ નાશી ગયો હતો. પોલીસે બંનેને જૂનાગઢ ખાતેથી શોધી કાઢયા છે અને પોરબંદર લાવ્યા બાદ તણીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુમ , અપહરણ થયેલા બાળકો અને મહિલાઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનાન પોલીસ ઇન્સ્પેકટર ડી.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાસ સંહિતા (બી.એન. એસ.) ૨૦૨૩ની કલમ મુજબના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે સર્વલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીભા તથા ભૌતિકભાઇ હરિભાઇને ટેકનીકલ સોર્સની મદદથી સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે, સદરહુ ગુન્હાનો આરોપી હર્ષદ ઉર્ફે કાંતીયો રાણાભાઇ વાઘેલા ઉ.વ. ૨૪ રહે, ખાપટ નવાપરા, વાછરાડાડાના મંદિરની બાજુમાં પોરબંદર તથા ભોગ બનનાર જુનાગઢ બસસ્ટેન્ડ ખાતે રોકાયેલ હોય જેથી તુરત સર્વલન્સની ટીમ જુનાગઢ બસસ્ટેન્ડે જઇ ભોગ બનનાર તથા આરોપી ને શોધી કાઢી હસ્તગત કરી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી ધોરણસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં પી.આઇ. ડી.જી.ગોહેલ, એ.એસ.આઇ. ભાવીનભાઇ પ્રવીણભાઇ,પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીભા, ભરતભાઇ નાથાભાઇ, કનકસિંહ પરાક્રમસિંહ, ભૌતિકભાઇ હરિભાઇ તથા વુમન લોકરક્ષક નિપાબેન અમરશીભાઇ દ્વારા કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech