પોરબંદરવાસીઓ ઉપર મહાનગરપાલિકાના તંત્રએ કરવેરાનો આકરો ડોઝ ઝીંકી દીધો છે અને તેની સામે ગણ્યાંગાઠ્યા જાગૃત નાગરિકો લડત ચલાવી રહ્યા છે અને વાંધા અરજીના ફોર્મ જાતે તૈયાર કરી મહાનગરપાલિકાને પહોંચાડી રહ્યા છે પરંતુ મહાનગરપાલિકાના અધિકારીએ એવો ઘટસ્ફોટ કર્યો છે કે અગાઉ જ્યારે પોરબંદર નગરપાલિકા હતુ ત્યારથી જ આ વેરા વધારાની દરખાસ્ત થઇ હતી. ત્યારે મહત્વનો મુદ્ો એ સામે આવ્યો છે કે પોરબંદરમાં ભાજપના સત્તાધીશો એ જ આ વેરા વધારો ઘુસાડી દીધો હતો તેથી હવે સ્વાભાવિક રીતે જ ભારતના ધારાસભ્ય અને નેતાઓ આ મુદ્ે કશુ જ બોલી શકે તેમ નથી તેથી ગણ્યાંગાઠયા લોકો વાંધા અરજીના ફોર્મ ભરી રહ્યા છે. તેના બદલે નકકર કાનુની લડત લડવી જરી બની હોય તેવું જણાઇ રહ્યુ છે.
પોરબંદર મહાનગરપાલિકા સુવિધા આપવામાં અખાડા કરે છે અને દુવિધાઓમાં સતત વધારો કરી રહી છે અને જુદા -જુદા પ્રકારના વેરા આડેધડ ઝીંકીને લોકોને બાનમાં લઇ રહી છે. તે પ્રકારના વિરોધવંટોળ વચ્ચે પોરબંદરમાં સત્તાધારી ભાજપ પક્ષ તો સ્વાભાવિક રીતે જ તેમની સરકાર હોવાથી વેરાનો વિરોધ કરી શકે તેમ નથી અને કોંગ્રેસનું પોરબંદરમાં અસ્તિત્વ જ ના હોય તેવી પરિસ્થિતિ જણાઇ રહી છે તો ત્રીજી બાજુ અન્ય રાજકીયપક્ષો પણ પોરબંદરવાસીઓના આ મહત્વના પ્રશ્ર્ને મોઢામાં મગ ભરીને બેસી ગયા છે અને જાગૃત નાગરિકો દુકાને-દુકાને જઇને વાંધા અરજીના ફોર્મ તૈયાર કરીને ભરી રહ્યા છે. ત્યારે એવી વિગત ખુદ મનપાના અધિકારી નાયબ મ્યુનિસિપલ કમિશ્નર મનન ચતુર્વેદીએ જાહેર કરી હતી કે પોરબંદર નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે વેરામાં સુધારો કરવાની જરીયાત ઉભી થઇ હતી અને જાન્યુઆરી ૨૦૨૩માં આ મુદે નગરપાલિકા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ કોઇનો વાંધો કે સુચનો રજૂ કરવા હોય તો પણ સમય આપવામાં આવ્યો હતો અને ડીસેમ્બર ૨૦૨૪માં જ્યારે મહાનગરપાલિકામાં અસ્તિત્વમાં આવે તેના એક મહિના પૂર્વે મનપા દ્વારા બહુમતીથી અંતિમ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં સફાઇવેરો, પાણીવેરો સહિતના વેરામાં વધારો કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech