જમ્મુ કાશ્મીરમાં પહેલગામ વિસ્તારમાં પ્રવાસીઓ ઉપર આતંકવાદી હુમલાના પગલે દેશભરમાં રેડ એલર્ટ જેવી સ્થિતિમાં આતંકવાદી પ્રવૃત્તિ અથવા દેશવિરોધી તત્વો ઉપર નજર રાખવા રાજકોટ સહિતના શહેરોના રેલવે સ્ટેશન ઉપર ગુજરાત રેલવે પોલીસ ઉપરાંત રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જીઆરપીના ઇન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ. રાણાના જણાવ્યા મુજબ શંકાસ્પદ પ્રવૃત્તિ કરનારા અથવા બાંગ્લાદેશી કે અન્ય તત્વો દ્વારા સ્થળ બદલવાની હિલચાલ ઉપર નજર રાખવા ગુજરાત રેલવે પોલીસ અને રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા રેલવે સ્ટેશન ઉપર પેટ્રોલિંગ અને ચેકિંગ વધારી દેવાની સૂચના આપવામાં આવતા ડી સ્ટાફ સર્વેલન્સ સ્કવોડ, એલસીબી અને એસઓજી વગેરે દ્વારા સ્નિફર ડોગ, મેટલ ડિટેક્ટર, સ્કેનર સહિતના સાધનો વડે રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ, ટ્રેનો વગેરેમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં શંકાસ્પદ ઉતારુના લગેજ વગેરેની પણ સ્કેનિંગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે રેલવેના સૂત્રોમાંથી જણાવ્યા મુજબ, રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ આમ તો રોજગારી પ્રક્રિયા છે પરંતુ હાલ નવા સંજોગોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech