બનાવની જાણવા મળતી વિગતો મુજબ હાલ શાપરમાં રહેતા મૂળ બિહારના વતની અક્ષયબરનાથ સીતારામ ઓઝા(ઉ.વ 55) દ્વારા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા દસ વર્ષથી શાપરમાં રહે છે અને સાત વર્ષથી શાપર પ્રગતિ મોલ ગેટ પાસે વિનસ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં મજૂરી કામ કરે છે.
ફરિયાદીનું મૂળ વતન બિહારના આરા તાલુકાનું કરજા ગામ હોય લગ્ન પ્રસંગ માટે તેઓ ગુજરાતથી બિહાર ગયા હતા. તા. 21/ 5/ 2025 ના રોજ બિહારથી પટના અમદાવાદ અજીમાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં ફરિયાદીના પત્ની આશાબેન પુત્રવધુ નેહા કુમારી પુત્ર આનંદકુમાર મુસાફરી કરી રહ્યા હતા. તારીખ 23/5/2025 ના અમદાવાદ રેલવે સ્ટેશન સુધી મુસાફરી પૂરી કરી અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર પરિવારજનો સાથે રહેલા સામાનમાં 17 જેટલી બેગ હતી તેમાં વાદળી બ્લુ કલરની ટ્રોલી બેગ ફરિયાદીના પત્નીએ ખોલી જોતા સામાન બરોબર હતો. બાદમાં ઈ ટિકિટ રિઝર્વેશન મુજબ અરનાકુલમ ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ બેઠા હતા.
દરમિયાન અહીં બે અજાણી વ્યક્તિ આધેડ સાથે વાતચીત કરવા લાગી બીજી વ્યક્તિ ફરિયાદીના પુત્રને કહેવા લાગેલ કે હજુ રાજકોટ રેલવે સ્ટેશન આવવાની અડધી કલાક જેટલી વાર છે તો તમે તમારી સીટ ઉપર જતા રહો. તેમ કહી બંને અજાણી વ્યક્તિ સામાન આગળ ઊભા રહી ગયા હતા. રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચતા પ્લેટફોર્મ નંબર એક પર ઉતરતા આ 17 બેગ ઉતારી પરિવાર ઘરે જતો રહ્યો હતો.
બાદમાં તા. 24/5 ના ફરિયાદીના પુત્ર આનંદ કુમારને રેલ્વે ગેટમેન કર્મચારી ઇન્દ્રજીત કુમાર કે જે તરઘડી ગામના રેલવે બ્રોડગેજ લાઈન પાસેથી બોલતા હોય તેમણે ફોન કર્યો હતો કે તમારા નામનું આધાર કાર્ડ, પાનકાર્ડ, બે ચેકબુક, એટીએમ કાર્ડ રેલવે પાટા પાસેથી મળ્યું છે. બાદમાં અહીં ઘરે આવી તપાસ કરતા આ 17 બેગ પૈકી એક ટ્રોલી બેગની ચેન ખોલીને કાપડના કવરનો કાપો મારી કોઈ અજાણી વ્યક્તિએ તેમાંથી રોકડ રૂપિયા ૮૦ હજાર તથા સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1,25,500 ની મત્તા કાઢી લીધી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ બંને અજાણ્યા શખસો જે મુસાફરી દરમિયાન તેમની સાથે વાતચીત કરતા હોય તેણે જ આ ચોરી કરી હોવાની શંકા સાથે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech