ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં પંજાબના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી રહેલા વિજયભાઈ પાણીને રાષ્ટ્ર્રીય નેતૃત્વ દ્રારા વધારાની એક જવાબદારી સંગઠન પર્વ દરમિયાન સોપવામાં આવી છે.ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે ભારતીય જનતા પક્ષ દ્રારા સંગઠન પર્વ અંતર્ગત સભ્ય નોંધણી ઝુંબેશ ચાલી રહી છે અને તેમાં વીજયભાઈ પાણીને ઉત્તર પ્રદેશના મેનપુરી, બરેલી, બરેલી મહાનગર, પીલીભીત, બદાયુ, સાહજાહપુર ડિસ્ટિ્રકટ અને શાહજાહપુર મહાનગર, કાનપુર ઉત્તર અને કાનપુર દક્ષિણની સંગઠન પર્વ માટેની જવાબદારી સોંપવામાં આવી છે.સુત્રોના જણાવ્યા મુજબ ભાજપને રાષ્ટ્ર્રીય કક્ષાએ ૮૦ આગેવાનોને ડિસટીકટ પ્રવાસી કાર્યકર્તા તરીકેની જે વ્યવસ્થા ગોઠવી છે તેમાં ઉત્તર પ્રદેશના ૧૦ જિલ્લામાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણીને આ જવાબદારી સોપવામાં આવી છે.મેનપુરીમાં જિલ્લામાં પ્રમુખ તરીકે રાહત્પલ ચતુર્વેદી બરેલીમાં પવન શર્મા બરેલી મહાનગરમાં અધીર સટસેના પીલીભીતમાં સંજીવ પ્રતાપસિંગ બદાયુમાં રાજીવકુમાર ગુા સાહજાહપુર ડિસ્ટિ્રકટ માં કૃષ્ણ ચદં મિશ્રા શાહપુર મહાનગરમાં શ્રીમતી શિલ્પી ગુા કાનપુર ઉત્તરમાં દીપુ પાંડે અને કાનપુર દક્ષિણમાં શિવરામ સિંગ જિલ્લા પ્રેસિડેન્ટની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમને વિજયભાઈ પાણી સંગઠન પર્વ સંદર્ભે માર્ગદર્શન આપશે અને કામગીરીની સમીક્ષા કરશે.વિજયભાઈ પાણીની ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકેની ભાજપની કામગીરીને લોકો અત્યારે પણ યાદ કરી રહ્યા છે અને રાષ્ટ્ર્રીય નેતૃત્વ એ પણ સંગઠન પર્વમાં તેમની સેવા ઉત્તર પ્રદેશમાં લેવાનું નક્કી કયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech