સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમા આવેલુ સ્પોટ્ર્સના મેદાનો,ઇન્ડોર સંકુલ,અલગ અલગ ગેમ્સની કોર્ટો,સ્વિમિંગ પુલ વેરાન હાલતમા છે.કરોડોના ખર્ચ તૈયાર થયેલ આ તમામ સ્પોટ્ર્સ સંકુલોના મેઇન્ટેન્સ અને સાફસફાઈ અર્થે લાખોનો ખર્ચ કરે છે છતા છેલ્લા ઘણા સમયથી સાફસફાઈ જ ના થતી હોવાનુ સામે આવે છે.રમતવીરોને યુનિવર્સિટી બીજુ કઈ પ્રોત્સાહન આપી ના શકે તો ઠીક છે પણ પ્રાથમિક સુવિધાઓ કે જે તે ગ્રાઉંડ કે સંકુલોની સાફ સફાઈ,પીવાનુ પાણી,વોશરૂમ,ક્લોથ્સ ચેન્જિંગ રૂમ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામા યુનિવર્સિટીનો શારીરિક શિક્ષણ વિભાગ સક્ષમ ના હોય તો આમા યુનિવર્સિટીના રમતવીરો કઈ રીતે રાજ્યકક્ષાએ કે દેશકક્ષાએ આપણી યુનિવર્સિટીનુ નામ રોશન કરશે ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નક્કી કરેલ નીતિનિયમો મુજબ રમતગમતના મેદાનો કોઇ બહારની એકેડેમી,સંસ્થા કે વ્યક્તિએ ઉપયોગ કરવા માટે જે તે ફી નિયત કરવામા આવી છે પરંતુ હાલ અનેક ખાનગી એકેડેમીઓ જેવી કે બેડમિન્ટન,આર્ચરી ગેમની અને સ્પધર્ત્મિક પરીક્ષાઓના ગ્રાઉંડ કરાવતી સંસ્થાઓ આ રમતગમતના મેદાનો-સંકુલોનો ભરપૂર માત્રામા છેલ્લા અનેક સમયથી મફતમા ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતે નિપક્ષ તપાસ કરી શારીરિક શિક્ષણ વિભાગના નિયામક સહિત જે જે જવાબદારો છે તેઓ ઉપર કડક કાયર્વિહી કરવામા આવે તેવી વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે માંગ કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઇન્ટરનેશનલ સ્વિમિંગ પૂલ જે 9 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવ્યો હતો તે ગંદકીના કારણે ખદબદતો હોવાથી બંધ હાલતમા છે અને આ પુલનો મેઇન્ટેન્સ કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવાના કારણે આંતર કોલેજ સ્વિમિંગ અને ડાઈવિંગ સ્પધર્િ મોફુક રાખવામા આવી છે. કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે કુલપતિને રજુઆતમા જણાવ્યુ હતુ કે ખાનગી એકેડેમીઓને યુનિવર્સિટીના ગ્રાઉન્ડો મફતમા ઉપયોગ કરવા આપવા બાબતે જવાબદાર ઇન્ચાર્જ શા.શિ.નિયામક સહિત જવાબદારો સામે કાયર્વિહી કરવામા નહી આવે તેમજ રમતવીરો માટે મેદાનોમા પ્રાથમિક સુવિધાઓ-સાફસફાઈ તેમજ સ્વીમીંગ પુલો તાકીદે શરૂ કરવામા નહી આવે તો અમારી ટીમ દ્વારા આવનાર સમયમા ઉગ્ર આંદોલન કરવામા તેવી ચીમ્મકી પણ વિદ્યાર્થીનેતાએ ઉચ્ચારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાનગી બસ પલટી જવાના અકસ્માતમાં ૯૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો
June 09, 2025 02:33 PMરાણાવાવની સરકારી હોસ્પિટલે ડાયાલીસીસની કામગીરી અંતે થઇ શરૂ
June 09, 2025 02:32 PMજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech