જામજોધપુરનો યુવાન ગાંધીભૂમિ પોરબંદર ખાતેથી પહેલગામ સુધીની ૨૦૦૦ કિ.મી.ની પદયાત્રા કરવા જઇ રહ્યો છે ત્યારે જુદા જુદા આગેવાનો તેને પ્રસ્થાન કરાવવા ખાસ ઉપસ્થિત રહેશે.
અહિંસાની ગાંધીભૂમિ પોરબંદરથી આવતીકાલે તારીખ ૩૦-૫- ૨૦૨૫ શુક્રવારે બપોરે ૩:૩૦ વાગ્યે ગાંધી જન્મ સ્થળ પાસે માણેકચોક ખાતેથી જામજોધપુરના નિવાસી સૈયદ સદ્દામ બાપુ કાદરી પહેલગામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કરશે એકતા અને અહિંસાનો સંદેશ લઈને નીકળનારી આ અહિંસા યાત્રા પોરબંદરથી પહેલગામ સુધી લગભગ ૨૦૦૦ કિલોમીટર લાંબી હશે. આતંકવાદના વિરોધ સાથે અને સમગ્ર ભારતમાં શાંતિ, એકતા, સદભાવના તથા ભાઈચારાના સંદેશ સાથે સૈયદ સદામ બાપુ કાદરી આ પદયાત્રાનો પ્રારંભ કરી રહ્યા છે
તેઓ આ અહિંસા યાત્રા વિશે પોતાના ઉદ્દેશ અંગે જણાવ્યું હતું કે, ‘આ યાત્રા દ્વારા હું એ જ સંદેશો આપવા માંગું છું કે મુસ્લિમ ધર્મ આતંકવાદનો સખત વિરોધ કરે છે આતંકવાદી માનસિકતા ધર્મવિરોધી છે ભારત દેશનો નાગરિક કોઈપણ ધર્મ પાળતો હોય પણ તો તેના હૃદયમાં દેશ પ્રેમની ભાવના હંમેશા અંકિત થયેલી હોય છે મારે આ યાત્રા દ્વારા શાંતિ અને એકતા નો સંદેશ આપવો છે અને આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવું જરી છે તેવી વિચારધારા સાથે હું ગાંધી જન્મભૂમિ પોરબંદરથી મારી પદયાત્રા અહિંસા યાત્રાના નામ થી શ કરી રહ્યો છું.’
આવતીકાલે તારીખ ૩૦ શુક્રવારે બપોરે ૩:૩૦ વાગ્યે માણેકચોક પોરબંદર ખાતેથી આ યાત્રા ના પ્રસ્થાન સમયે પોરબંદરના વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, વિવિધસામાજિક સંસ્થાઓના અગ્રણીઓ હોદ્દેદારો, વિવિધ જ્ઞાતિઓના હોદ્દેદારો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો, વિવિધ મંડળો, વિવિધ સેવાકીય ગ્રુપો અને પોરબંદરના દરેક ધર્મ અને દરેક સમાજના લોકો ઉપસ્થિત રહી સૈયદ સદામ બાપુ કાદરી દ્વારા પોરબંદર થી પહેલગામ સુધીની પદયાત્રાના પ્રસ્થાન સમયે ઉપસ્થિત રહી તેમના ઉત્સાહમાં વધારો કરે તેવી પ્રસ્થાન આયોજન કમિટીના ડાડાભાઈ જિંદા, આરીફ ભાઈ સુર્યા, અબ્દુલભાઈ રાવડા, ફાકભાઈ જુલાયા, ફિરોઝ ખાન પઠાણ, હાસમ ભાઈ લાંગા, ફિરોજભાઈ રાઠોડ, એ અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech