‘હિન્દુસ્તાન જીન્દાબાદ.. પાકિસ્તાન મુર્દાબાદ’ ના નારા સાથે પોરબંદરથી પહેલગામ સુધીની મુસ્લીમ યુવાનની પદયાત્રાનો શુભારંભ થયો છે.
પોરબંદર ખાતે જામજોધપુરના વતની નવયુવાન સૈયદ સદ્દામ બાપુ કાદરીએ ગાંધી જન્મભૂમિ પોરબંદર થી પહલગામ(કાશ્મીર) સુધી પોતાની પદયાત્રા અહિંસા યાત્રાના નામે શ કરી છે.
જામજોધપુરથી પોરબંદર આવી પહોંચ્યા પછી બપોરે પોરબંદરના વિવિધ આગેવાનોની સાથે તેઓએ મુલાકાત કરી અને ત્યારબાદ વિશાળ મુસ્લિમ જન સમુદાય સાથે નગીના મસ્જિદ પાસે તેઓ રેલી સ્વપે દેશભક્તિ ગુંજતા ગીતોની સાથે નીકળેલા.તેઓનું ઠેર -ઠેર અનેક સુન્ની મુસ્લિમ અગ્રણીઓએ ફૂલોથી સ્વાગત કરેલ ત્યારબાદ તેઓ કીર્તિમંદિરની મુલાકાત લઇ માણેકચોક પહોંચ્યા હતા જ્યાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમજ પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ ચેતનાબેન તિવારી અને અશોકભાઈ મોઢા અને પોરબંદર જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઇ સંઘારે તેમનું પુષ્પથી અભિવાદન કરેલ અને તેમને શુભેચ્છા આપેલ. તેમજ પોરબંદર જિલ્લા કોંગ્રેસના રાજુભાઈ ઓડેદરા અને તેમની ટીમ દ્વારા પણ તેમને પુષ્પનો હાર પહેરાવી અભિવાદન કરવામાં આવેલ, ત્યારબાદ સૈયદ સદ્દામ બાપુ કાદરીએ માણેકચોકમાં આવેલ ગાંધીજીની પ્રતિમા ને ફૂલહાર અર્પિત કરેલ અને જણાવેલ કે,‘ અહિંસાની આ ભૂમિથી જ હું અહિંસા યાત્રાની પદયાત્રા સ્વપે શઆત કરી રહ્યો છું મારી એક જ નેમ છે અને તે છે કે આંતકવાદનો સંપૂર્ણપણે સફાયો થવો જોઈએ અને ભારતમાં એકતા, શાંતિ અને સદભાવના હંમેશા બની રહે તે જ મારી યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે’ ત્યારબાદ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી અને અશોકભાઈ મોઢાએ સૈયદ સદ્દામ બાપુ કાદરીને પ્રસ્થાન કરાવેલ ત્યારે ઉપસ્થિત વિશાળ જન સમુદાયમાં ‘હિન્દુસ્તાન જિંદાબાદ’નો ગગન ભેદી નારો ગુંજી ઉઠ્યો હતો અને અને એક અનેરો દેશભક્તિ પૂર્ણ માહોલ છવાયો હતો.ત્યારબાદ આ અહિંસા યાત્રા પોરબંદરની બજારો માંથી પસાર થઈ હતી ત્યારે ઠેર -ઠેર હિન્દુ અને મુસ્લિમ સમાજના વેપારીઓએ પુષ્પોથી સૈયદ સદામ બાપુનું સ્વાગત કરેલ અને તેમની આ યાત્રા સુખપ પસાર થાય તેવી શુભેચ્છા આપેલ, સમગ્ર અહિંસા યાત્રાના પ્રસ્થાન નું આયોજન પ્રસ્થાન આયોજન કમિટીના ડાડાભાઈ જિંદા, આરીફભાઈ ડી. સુર્યા, અબ્દુલભાઈ રાવડા, હાસમભાઈ લાંગા, ફિરોજભાઈ (ગુડ્ડુ ભાઈ) પઠાણ, ફિરોજભાઈ રાઠોડ અને ફાકભાઈ જુલાયા દ્વારા કરવામાં આવેલ તેઓએ પ્રસ્થાન સમયે ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ -મુસ્લિમ સમાજ ના લોકોનો અને વિવિધ સંસ્થાઓ અને રાજકીય પક્ષોના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech