અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના અભિષેકને હવે 30 કલાકથી પણ ઓછો સમય બાકી છે. અગાઉ, શનિવારે રામ લલ્લાની 51 ઇંચની પ્રતિમા પાસે ધાર્મિક વિધિઓ સાથે અનુષ્ઠાન પૂર્ણ કરાયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધાર્મિક વિધિ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે નવી મૂર્તિની આંખો હજુ પણ કપડાથી ઢંકાયેલી છે. અત્યાર સુધી મૂર્તિ વિવિધ ધાર્મિક વિધિઓમાંથી પસાર થઇ છે. મૂર્તિની પૂજા કરવા માટે તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કોલકાતા સહિત દેશભરમાંથી ફૂલો લાવવામાં આવ્યા છે. જે લગભગ 50 કિલોગ્રામ છે. ફૂલોમાં કમળ, ગુલાબ, જાસ્મીન અને ક્રાયસન્થેમમ વગેરેનો સમાવેશ થાય છે.
સ્નાપન નામની ધાર્મિક વિધિ લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. ગર્ભગૃહને 81 'કલશ'ના પાણીથી ધોવામાં આવ્યું હતું. આ પાણી બિહાર અને નેપાળના સીતામઢી સહિત અનેક ધાર્મિક સ્થળો અને નદીઓમાંથી લાવવામાં આવ્યું હતું. નેપાળના સીતામઢીને માતા સીતાનું જન્મસ્થળ કહેવામાં આવે છે.
રામ લલ્લા વિરાજમાન એટલે કે અસ્થાયી મંદિરમાં જૂની મૂર્તિના દર્શન પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અસ્થાયી મંદિરમાં રામલલાના પૂજારી સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે રવિવારે સાંજે તેને ગર્ભગૃહમાં લઈ જવામાં આવશે. નવી મૂર્તિ સાથેના દર્શન 23 જાન્યુઆરીથી ફરી શરૂ થાય તેવી શક્યતા છે.
આ ધાર્મિક વિધિઓમાં મૂર્તિને ખાંડ અને મીઠાઈઓ ચઢાવવામાં આવે છે. આ પછી ફળ અને ફૂલ ચઢાવવામાં આવે છે. ધાર્મિક વિધિઓમાં રવિવાર પહેલા 'શકરધિવાસ', 'ફલાધિવાસ' અને 'પુષ્પધિવાસ' રાખવામાં આવ્યા હતા. મંદિરના સ્થળથી લગભગ 100 મીટર દૂર મંડપની આસપાસ સાંજ સુધી હવન ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech