પથરીના નિવારણ માટે યુઝરે સર્ચ કરતાં સામે આવ્યો વિચિત્ર જવાબ : જેમિનીના જવાબથી ગૂગલ ફરી થયું ટ્રોલ
ઈન્ટરનેટ બાદ હવે ટેક્નોલોજીની દુનિયા ઝડપથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તરફ આગળ વધી રહી છે. ઘણી એપ્સ અને સોફ્ટવેર દ્વારા લોકો એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ફોટોથી લઈને ડેટા સુધીનું કન્ટેન્ટ બનાવી રહ્યા છે. તેમ છતાં ક્યારેક એઆઇ દ્વારા મળતી માહિતી ચોંકાવનારી અને વિચિત્ર હોય છે. ગૂગલના સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સમાં પણ એવું જ થયું છે. એક યુઝરે કિડનીમાં પથરીના કિસ્સામાં શું કરવું જોઈએ તે અંગે સર્ચ કર્યું હતું. મળેલા જવાબથી તેને આશ્ચર્ય થયું. જેના કારણે ટેક્નોલોજીની દુનિયામાં હવે ગૂગલની બદનામી થઈ રહી છે.
આ સર્ચ કરતાં પર જવાબ મળ્યો છે કે,- વધુ માત્રામાં લિક્વિડનું સેવન કરો. જેમ કે પાણી, આદુનું પાણી, લીંબુનો સોડા, ફળોનો રસ વગેરે કિડનીમાંથી પથરી દૂર કરવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, તમારે દિવસ દરમિયાન લગભગ બે લિટર પેશાબ પીવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આ વિચિત્ર સલાહ માટે લોકો ગૂગલને ટ્રોલ પણ કરી રહ્યા છે. ગૂગલ સર્ચ પર મળેલી આ અજીબોગરીબ માહિતી યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેના પર ઘણી કોમેન્ટ આવી રહી છે, જે ગૂગલ માટે ચિંતા વધારી રહી છે.
આ બાબત અંગે ટેક જીનિયસ માઈક કિંગે કહ્યું કે હું રિસ્પેક્ટ સાથે કહીશ કે આ સારી પ્રોડક્ટ નથી. એક યુઝરે લખ્યું, 'અમે લગભગ અડધી સદીથી કમ્પ્યુટર અને ડેટા સાયન્સનો અભ્યાસ કર્યો છે. હવે અમે તેને એઆઇ માર્કેટિંગને સોંપી રહ્યા છીએ. ગૂગલ પર આ વિચિત્ર સર્ચ રિઝલ્ટ પછી ઘણા યુઝર્સે ગૂગલ પર સર્ચ કર્યું અને આ જ માહિતી મળી. આ પહેલા પણ ગૂગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેમિની પર સવાલો ઉભા થયા હતા. એટલું જ નહીં, આના કારણે ઘણા લોકોની નોકરી પણ જોખમમાં આવી ગઈ હતી. આ પછી ગૂગલે તેમાં કેટલાક સુધારા કર્યા છે.
પથરી દૂર કરવા વધુ પાણી પીવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું 2 થી ત્રણ લિટર. વિટામિન સી ધરાવતી વસ્તુઓનું વધુ સેવન કરવું ઉપરાંત સ્થૂળતા, ડાયાબિટીસ અને કાર્ડિયો સંબંધિત રોગોથી બચવું આ પછી પણ જો રાહત ના મળે તો તબીબી સલાહ લઈ એન્ડોસ્કોપી સર્જરી કરવી જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબીસીજી દ્વારા 41 ધારાશાસ્ત્રીઓ માટે રૂ. 14. 40 લાખની માંદગી સહાય મંજુર
June 09, 2025 02:37 PMખાનગી બસ પલટી જવાના અકસ્માતમાં ૯૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો
June 09, 2025 02:33 PMરાણાવાવની સરકારી હોસ્પિટલે ડાયાલીસીસની કામગીરી અંતે થઇ શરૂ
June 09, 2025 02:32 PMજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech