કર્ણાટક સરકારે બેંગલુરુના એક મોલને સાત દિવસ માટે બંધ કરી દીધો છે જેણે કથિત રીતે ખેડૂતને ધોતી અને સફેદ શર્ટ પહેરીને પ્રવેશવાની મંજૂરી આપી ન હતી. સરકારે ગુરુવારે મોલને સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આદેશ આવ્યાના થોડા સમય બાદ જ મોલ બંધ કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી. કથિત રીતે ખેડૂતને મોલમાં પ્રવેશ ન દેવાની ઘટનાની વિધાનસભાના તમામ પક્ષના સભ્યો દ્વારા સખત નિંદા કરવામાં આવી છે.
સરકારે ખેડૂતના કથિત અપમાનને તેના ગૌરવ અને સ્વાભિમાન પર હુમલો ગણાવ્યો અને કહ્યું કે તે સહન કરવામાં આવશે નહીં. શહેરી વિકાસ મંત્રી બી. સુરેશે ગૃહને કહ્યું, મેં BBMP (ભારત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન) કમિશનરને પૂછ્યું કે શું કરી શકાય. સરકાર પાસે સત્તા છે. મોલ સામે કાયદા મુજબ તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને અમે ખાતરી કરીશું કે મોલ સાત દિવસ બંધ રહે.
સમાજ કલ્યાણ મંત્રી એચ.સી. મહાદેવપ્પાએ કહ્યું કે આ ઘટના નિંદનીય છે. "દરેક વ્યક્તિ માટે સ્વાભિમાન અને ગૌરવ મહત્વપૂર્ણ છે, તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને સરકાર પગલાં લેશે," તેમણે કહ્યું. આ ઘટના મંગળવારે બની જ્યારે હાવેરી જિલ્લાના 70 વર્ષીય ફકીરપ્પા તેમની પત્ની અને પુત્ર સાથે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે મોલમાં ગયા હતા. ફકીરપ્પાએ કથિત રીતે સફેદ શર્ટ અને 'પાંચે' (ધોતી) પહેર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech