પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે થયેલી નિર્દયતાએ બધાને હચમચાવી દીધા હતા. લેડી ડોક્ટર પર પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો અને પછી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી. પોલીસે આ મામલે બળાત્કારનો કેસ નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં લેડી ડોક્ટર બેભાન હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા નહીં. આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શુક્રવારે (9 ઓગસ્ટ)ના રોજ અસ્થાયી કર્મચારી સંજય રોયની ધરપકડ કરી હતી. સ્થાનિક પોલીસે બળાત્કારનો કેસ નોંધ્યો છે.
તાલીમાર્થી ડોક્ટર વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તે બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. શુક્રવારે સેમિનાર હોલમાં તે બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મમતાએ પીડિતાના પરિવાર સાથે વાત કરી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીડિતાના માતા-પિતા સાથે વાત કરી છે. પરિવારે તેમને આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવા વિનંતી કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તાલીમાર્થી તબીબના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું છે. બંગાળ પોલીસે આ મામલાની તપાસ માટે એક SITની પણ રચના કરી છે. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાતીય હુમલો અને હત્યાનો ખુલાસો થયો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેની આંખો અને મોં બંનેમાંથી લોહી વહી રહ્યું હતું, તેના ચહેરા અને નખ પર ઈજાઓ હતી. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ અને હોઠ પર ઈજાઓ હતી.
પોસ્ટમોર્ટમ દરમિયાન બે મહિલા સાક્ષીઓ અને મહિલાની માતા હાજર હતી, જેને કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી હતી. કોલકાતા પોલીસના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ ગુનો સવારે 3 કલાકથી સવારે 6 કલાકની વચ્ચે થયો હતો.
'શરીર પર ઈજા, સારવાર બાદ મોત'
તાલીમાર્થી ડોક્ટર સાથેના કથિત જાતીય સતામણીના કેસ પર ભાજપના વરિષ્ઠ નેતા અગ્નિમિત્રા પોલે કહ્યું કે, છોકરીના શરીર પર ઈજા હતી. પીડિતાનું સારવાર બાદ મોત થયું હતું. અમે ઇચ્છીએ છીએ કે તપાસ થાય. તેમણે તાલીમાર્થી તબીબના મૃતદેહના પોસ્ટમોર્ટમનો પણ વિરોધ કર્યો હતો અને પૂછ્યું હતું કે, સાંજે પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવ્યું?
બહાર કરવું જોઈએ પોસ્ટમોર્ટમ
કોલકાતાના ડૉક્ટર માનસ ગુમતાએ આ અંગે કહ્યું કે, આ ચોંકાવનારી ઘટના છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. તે માત્ર ડોકટરોની વાત નથી. અમે કહી શકીએ કે, પશ્ચિમ બંગાળ ગુંડાઓના હાથમાં આવી ગયું છે અને અમને લાગે છે કે, વહીવટીતંત્ર તથ્યોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેને આત્મહત્યા ગણાવી રહ્યું છે. આ કારણોસર અમે માંગ કરીએ છીએ કે પોસ્ટમોર્ટમ આરજી કાર હોસ્પિટલની બહારના ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા કરવામાં આવે અને આરજી કાર હોસ્પિટલના ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા નહીં.
તેમણે વિદ્યાર્થીઓ સાથે વિરોધ-પ્રદર્શન કર્યું અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આરજી કાર કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષે પણ આ બાબતે કહ્યું, 'આ ખૂબ જ ખોટું છે. તે મારા દિકરી જેવી હતી અને તેના માટે શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી થવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયુ
June 09, 2025 03:20 PMજિલ્લા જેલમાં મુસ્લિમ કેદીઓએ ઈદ-ઉલ-અઝાની ખાસ નમાઝ અદા કરી
June 09, 2025 03:18 PMરાજ્યપાલએ બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો
June 09, 2025 03:17 PMઓડદર બાદ હવે ટુકડા ગોસાના દરિયાકિનારેથી મળ્યુ મારીઝુઆના હસીસનું વધુ એક પેકેટ
June 09, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech