શાપરમાં ફેકટરીમાં કાસ્ટિંગની ફેકટરીમાં રાત્રિના બોઇલર ફાટતા આગ ભભૂકી, 4 દાઝ્યા, સંચાલકનું મોત

  • June 10, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપરમાં ગોલ્ડન ગેઇટ-૨ માં આવેલી ડાઇ કાસ્ટિંગની ફેક્ટરીમાં રાત્રિના બોઇલર ફાટતા આગ ભભૂકી ઊઠી હતી. આગની આ ઘટનાને લઇ નાસભાગ મચી ગઈ હતી. આગમાં ચાર યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં ફેક્ટરી સંચાલક રાજકોટમાં રહેતા 27 વર્ષે યુવાનનું મોત થયું હતું. જ્યારે તેના ભાઈ ભાગીદાર અને યુપીના એક કારીગરને હાલ સારવારમાં છે.


આ ઘટનાને લઇ ફેક્ટરીમાં નાસભાગ મચી 

આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળમાં ગોલ્ડન ગેઇટ-૨ પાસે આવેલી પ્રિસિઝન એલોયકાસ્ટ નામની ફેક્ટરીમાં રાત્રે નાઈટ ડ્યુટીમાં કારીગરો ડાઈન કાસ્ટિંગનું કામ કરી રહ્યા હતા. દરમિયાન અહીં બોઇલરમાંથી ઓઇલ લીકેજ થવાના કારણે કે અન્ય કોઈ કારણોસર બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. આગની આ ઘટનાને લઇ ફેક્ટરીમાં નાસભાગ મચી જવા પામી હતી.​​​​​​​


ભાગીદાર પિયુષ દાઝી ગયા 

આગની ઘટનામાં અહીં કામ કરનાર કારીગર મૂળ યુપીના વતની અને હાલ શાપરમાં રહેતો પ્રદ્યુમન રામકુવાલ રાજપુત (ઉ.વ 23) દાઝી ગયો હતો. આ ઉપરાંત ફેક્ટરી સંચાલક - ભાગીદાર રાજકોટના મોરબી રોડ પર શિવમ પાર્કમાં રહેતા ભરત ધીરૂભાઈ કાકડીયા(ઉ.વ 27) તેના નાનાભાઈ જયેશભાઈ ધીરૂભાઈ કાકડીયા (ઉ.વ 24) અને ભાગીદાર પિયુષ ગોવર્ધનભાઈ પીપળીયા (ઉ.વ 35) પણ દાઝી ગયા હતા.


ચારેયને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા

ચારેયને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફેક્ટરી સંચાલક ભરતભાઈ કાકડીયાનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. તેમના ભાઈ જયેશભાઈને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. જ્યારે ભાગીદાર પિયુષભાઈ પીપળીયા હાલ સારવાર હેઠળ છે તેમજ કારીગર પ્રદ્યુમન રાજપુતને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના રામસીભાઈ વરૂ, ધર્મેન્દ્રભાઈ હુદડ, તોફિકભાઈ, શક્તિસિંહે લોધિકા પોલીસને જાણ કરતા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.


કાકડિયા પરિવારમાં માતમ છવાયો

આગની આ ઘટનામાં મૃત્યુ પામનાર ભરતભાઈ બે ભાઈ અને એક બહેનમાં મોટા હતા. તેમને સંતાનમાં એક પુત્ર છે તે પિયુષભાઈ સાથે ભાગીદારીમાં ફેક્ટરી ચલાવતા હતા તેમના પિતા હયાત નથી તેઓ જ પરિવારના આધારસ્તંભ સમાન હતા. બનાવને લઈ કાકડિયા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ અંગે લોધિકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.​​​​​​​


ગેસ લીકેજ થવાના લીધે આગ લાગી

આગની આ ઘટનામાં પ્રાથમિક તબક્કે બોઇલરમાં ગેસ લીકેજ થવાના લીધે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. પરંતુ ખરેખર આગ લાગવા પાછળનું કારણ શું તે અંગે પોલીસ એ તપાસ શરૂ કરી છે. આગની ઘટના બાદ અહીં ફેક્ટરીમાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ તાકીદે પહોંચી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application