ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શુ તફાવત છે તેને લઈને વાત કરી છે. તેઓએ જણાવ્યું છે કે, બોલિવૂડ ફિલ્મ મેકર્સની 'પુષ્પા' જેવી ફિલ્મો બનવવવાની ત્રેવડ નથી. કારણ કે તેમની પાસે આવા વિચારો જ નથી. પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રી ફિલ્મો હંમેશા દર્શકોને તેમની અનોખી સ્ટોરી અને સાંસ્કૃતિક શૈલીને કારણે પસંદ આવે છે. જે બોલિવૂડથી તદ્દન અલગ છે.
રામ ગોપાલ વર્માએ કહ્યું કે, બોલિવૂડના ડિરેક્ટરો 'પુષ્પા 2' જેવી ફિલ્મો ક્યારેય બનાવી શકે નહીં. એવું નથી કે તે સક્ષમ નથી, પરંતુ તેમની વિચારસરણી અલગ છે. વાસ્તવિક તફાવત ફિલ્મ મેકરના વિચારમાં છે, દર્શકોની પસંદગીમાં નહીં, કારણ કે પહેલા હિન્દી સિનેમા મસાલા ફિલ્મો પર આધારિત હતું. જેમ કે અમિતાભ બચ્ચનની ફિલ્મોમાં જોવા મળે છે.
રામ ગોપાલ વર્માએ કહ્યું, હું અમિતાભ બચ્ચનના યુગ એટલે કે 70 અને 80 ના દાયકાની વાત કરી રહ્યો છું. તે સમયે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હિન્દી ફિલ્મોની રિમેક બનાવતી હતી. રજનીકાંત બચ્ચનની ફિલ્મોની રિમેક બનાવતા હતા. ચિરંજીવી અને NTR જેવા સ્ટાર્સ પણ આવું જ કરી રહ્યા હતા. પણ સાઉથે હિન્દી સિનેમાની સ્કિલ શીખી લીધી.
થોડા સમય પછી, મ્યૂઝિક કંપનીઓ આવી અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં મોટો ફેરફાર લાવ્યા. આ કંપનીઓએ પોતાના ગીતોને ફિલ્મોમાં મૂકવા માટે પૈસા આપવાનું શરૂ કર્યું. આની અસર એ થઈ કે એક્શન ફિલ્મોની સંખ્યા ઓછી થવા લાગી અને તે જ સમયે, અમિતાભ બચ્ચને લગભગ પાંચ વર્ષનો લાંબો વિરામ લીધો. આ ઈન્ડસ્ટ્રી 'મૈંને પ્યાર કિયા' અને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' જેવી સંગીતમય ફિલ્મો તરફ આગળ વધવા લાગી અને બોલિવૂડ તેની મસાલા ફિલ્મો ભૂલી જવા લાગ્યું. પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રી ક્યારેય બદલાણી નહીં. તેણે એક્શન અને સામૂહિક મનોરંજક ફિલ્મો બનાવવાનું ચાલુ રાખ્યું.
રામ ગોપાલ વર્માએ કહ્યું, 'લગભગ 15-20 વર્ષ પહેલાં, બોલિવૂડમાં નવા ડિરેક્ટરો આવ્યા, જે વધુ શહેરી અને પશ્ચિમી વિચારધારા ધરાવતા હતા. તેઓ અંગ્રેજી બોલતા હતા અને બાંદ્રા જેવા વિસ્તારોમાં રહેતા હતા. તેમનો વિચાર ખૂબ જ અલગ હતો. જ્યારે સાઉથના ઘણા ડિરેક્ટરો હજુ પણ તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના જંગલમાં થયેલા દબાણ ઉપર દાદાનું બુલડોઝર કયારે ફરશે?: કોંગ્રેસ
June 09, 2025 02:56 PMપોરબંદરમાં મહિલા પતંજલિ યોગ સમિતિની યોજાઇ બેઠક
June 09, 2025 02:54 PMરબારી સમાજના પીઢ આગેવાનને શ્રધ્ધાસુમન થયા અર્પણ
June 09, 2025 02:53 PMબરડા જંગલને બચાવવા દબાણ દુર કરવા ખુબ જરી
June 09, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech