આજે રાજકોટમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. મેચની શરૂઆતમાં તો માત્ર થોડા રનોમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી દેતા ફેન્સ નિરાશ થયા હતા. રોહિત શર્માએ ટોસ જીતીને ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવાની જવાબદારી સંભાળી હતી. રોહિત શર્માએ સદી ફટકારી એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે.
હવે રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. અગાઉ તે આ યાદીમાં પાંચમા નંબરે હતો અને ચોથા નંબર પર સૌરવ ગાંગુલીનો કબજો હતો. પરંતુ હવે રોહિત શર્મા ચોથા નંબર પર આવી ગયો છે. સૌરવ ગાંગુલીએ પોતાની કારકિર્દીમાં 18575 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. રોહિત શર્માએ આ આંકડો પાર કરી લીધો છે. આ યાદીમાં એટલે કે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકર ટોચના સ્થાને છે. તેંડુલકરે પોતાની કારકિર્દીમાં 34357 રન બનાવ્યા હતા.
આ યાદીમાં બીજા નંબર પર વર્તમાન બેટ્સમેન વિરાટ કોહલી છે. કોહલીએ 26733 રન બનાવ્યા છે. ત્યારબાદ ભૂતપૂર્વ બેટ્સમેન અને વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડ 24208 રન સાથે ત્રીજા સ્થાને આવે છે. નોંધનીય છે કે ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ બે ટેસ્ટમાં ભારતીય કેપ્ટનનું બેટ શાંત જોવા મળ્યું હતું. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માએ બંને દાવમાં અનુક્રમે 24 અને 39 રન બનાવ્યા હતા. આ પછી, વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં, રોહિતે બંને ઇનિંગ્સમાં અનુક્રમે માત્ર 14 અને 13 રન બનાવ્યા. પરંતુ રાજકોટમાં રમાઈ રહેલી ટેસ્ટમાં હિટમેનનું બેટ બોલ્યું અને તે એવી રીતે બોલ્યું કે તેણે ગાંગુલીનો રેકોર્ડ તોડી નાખ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCSMCRI, ભાવનગરે પંગાસુનોન સ્ટેટ યુનિવર્સિટી ફિલિપાઇન્સ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા
June 11, 2025 02:41 PMઆરએસએસના વિચારભારતી દ્વારા શતાબ્દી વર્ષ વિશેષ અંકનું વિમોચન
June 11, 2025 02:39 PMમજીવાણા પાસે બાઈક સ્લીપ થતા લાલપુર પંથકના યુવાનનું નીપજ્યું મોત
June 11, 2025 02:33 PMસોઢાણા ગામે એકલવાયા જીવનથી કંટાળી જઇને વૃદ્ધે કર્યો આપઘાત
June 11, 2025 02:32 PMપોરબંદરમાં મચ્છર મારવાની ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત
June 11, 2025 02:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech