નૂતન ઘ્વજારોહણ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો
ભગવાન શનિ મહારાજના જન્મસ્થળ એવા ભાણવડ નજીક હાથલા ગામે શનિદેવ જન્મ જયંતિની ભક્તિરસ માહોલમાં ઉજવણી થઇ છે, ધાર્મિક કાર્યક્રમમાં ઠેર ઠેરથી ભાવિકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા અને શનિ મહારાજને માથું ટેકવી ધન્યતા અનુભવી હતી.
ભાણવડ તાલુકાના હાથલા ગામે ભગવાન શનિ મહારાજનું ખૂબ જ પુરાણ પ્રસિઘ્ધ મંદિર રહ્યું છે, આમ તો આ મંદિરે ભાવિકો દૂર દૂરથી બારેમાસ માથું ટેકવવા માટે આવતા હોય છે, પરંતુ તા. 6 અને ગુવારે શનિદેવ મહારાજની જન્મ જયંતિ હોવાથી ભાવિકોનો પ્રવાહ મોટી સંખ્યામાં ઉમટ્યો છે.
શનિદેવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજીત ધાર્મિક કાર્યના પ્રરંભમાં શનિ મહારાજની પૂજા, આરતી કરવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ શનિ મહારાજનો જયઘોષ બોલાવ્યો હતો, તેમજ નૂતન ઘ્વજા સહિત મહાપ્રસાદના કાર્યક્રમનું પણ આયોજન થયું હતું. મહાપ્રસાદ અવિરત ચાલુ રાખયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શનિદેવ જન્મજયંતિ હોવાથી ભાવિકો મોટી સંખ્યામાં શનિ મહારાજના દર્શન માટે આવી રહ્યા છે, ત્યારે તમામને શાંતિથી દર્શન સહિતનો લાભ મળે એ માટે શનિદેવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અદ્દભૂત વ્યવસ્થા ગોઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech