ઉત્તર ગુજરાતના ડીસા જીઆઇડીસીમાં ગેરકાયદેસર ગોડાઉન–કમ–ફેકટરીમાં થયેલા શકિતશાળી વિસ્ફોટમાં મધ્યપ્રદેશના હરદાના ૨૧ કામદારોના મૃત્યુ માત્ર નિયતિ હતી કે હરદા ફટાકડા ફેકટરીના સંચાલકો વચ્ચેના જોડાણનું પરિણામ, જેમાં ડિસેમ્બર ૨૦૨૪ માં આવા જ વિસ્ફોટમાં ૧૩ કામદારો માર્યા ગયા હતા અને ૨૦૦ ઘાયલ થયા હતા, ડીસા યુનિટ ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરી રહ્યું હતું, જે નફા માટે વધુ લોકોના જીવ જોખમમાં મૂકે છે.
ગયા વર્ષે ભયાનક આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારથી બધં કરાયેલી હરદા ફેકટરીના સંચાલનને ગુજરાતના ડીસામાં ખસેડવામાં આવ્યું છે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે. ડીસા વિસ્ફોટમાં મૃત્યુ પામેલા આઠ બાળકો સહિત તમામ ૨૧ કામદારો રવિવારે બે દિવસ પહેલા જ હરદાથી આવ્યા હતા. ત્યારે એ પ્રશ્ન થાય છે કે શું હરદા ફટાકડા ફેકટરીના રાજેશ અગ્રવાલે દીપક ટ્રેડર્સના માલિકો – દીપક અને ખૂબચદં મોહનાની સાથે હાથ મિલાવ્યો હતો? કે જેઓ ૧૮ વર્ષથી
સ્થાનિક અધિકારીઓથી છુપાઈને ગેરકાયદેસર કામગીરી સફળતાપૂર્વક ચલાવી રહ્યા હતા અને તેમના ધંધામાં વધારો કરતા હતા. ડીસા મામલતદાર અને આ કેસમાં ફરિયાદી વિપુલ બારોટે જણાવ્યું હતું કે દીપક ટ્રેડર્સ ૧૮ વર્ષથી ફટાકડા બનાવી અને વેચી રહ્યા છે પરંતુ તેમને વર્ષેાથી લાઇસન્સ 'કેવી રીતે અને કયારે' મળ્યું અને કયારે રિન્યુ થયું તે અંગે કોઈ માહિતી નથી.
કોંગ્રેસે જણાવ્યું હતું કે રાજેશ અગ્રવાલ ૧૪ એપ્રિલે તેમના જામીન પૂરા થાય તેના થોડા દિવસો પહેલા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે રાજેશ અગ્રવાલ છેલ્લા સાડા પાંચ મહિનાથી જામીન પર છે. ડીસાના લોકો માને છે કે અગ્રવાલે ભાગીદારીમાં અહીં યુનિટ શરૂ કયુ હતું, કારણ કે હરદામાં આવેલ યુનિટ અકસ્માત પછી બધં થઈ ગયું હતું જેમાં ૧૩ લોકો મૃત્યુ પામ્યા હતા.
તેમણે ઉમેયુ હતું કે એવી માહિતી છે કે રાજેશ અગ્રવાલ ગુજરાતના એક ટોચના રાજકારણીના પુત્ર સાથે સંબધં ધરાવે છે. યારે યુનિટ પાસે લાઇસન્સ ન હતું ત્યારે વિસ્ફોટક પદાર્થેા યુનિટમાં કેવી રીતે પહોંચ્યા? માટે હરદા અને ડીસા યુનિટ વચ્ચેના જોડાણની તપાસ થવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરએસએસના વિચારભારતી દ્વારા શતાબ્દી વર્ષ વિશેષ અંકનું વિમોચન
June 11, 2025 02:39 PMમજીવાણા પાસે બાઈક સ્લીપ થતા લાલપુર પંથકના યુવાનનું નીપજ્યું મોત
June 11, 2025 02:33 PMસોઢાણા ગામે એકલવાયા જીવનથી કંટાળી જઇને વૃદ્ધે કર્યો આપઘાત
June 11, 2025 02:32 PMપોરબંદરમાં મચ્છર મારવાની ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત
June 11, 2025 02:31 PM‘ધબાય નમ:’ થશે તો મનપાનું તંત્ર જવાબદારી સ્વીકારશે?
June 11, 2025 02:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech