પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ સોમવારે એટલે કે 15 જાન્યુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ વેળા શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પુસ્તક ‘પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’ની કોપી ભેટ સ્વરૂપે પીએમ મોદીને આપી હતી. આ માહિતી ખૂદ શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા થકી આપી હતી. આ પછી એવી અટકળો શરૂ થઈ હતી કે શર્મિષ્ઠા મુખર્જી ભાજપમાં જોડાઈ શકે છે. પણ હવે ખૂદ શર્મિષ્ઠા મુખર્જીએ આ બાબત સ્પષ્ટ કરી છે અને તેમના ભાજપમાં જોડાવાની અટકળો પર પણ પૂર્ણવિરામ લગાવી દીધું છે.
વાસ્તવમાં શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથેની મુલાકાતના ફોટા શેર કર્યા હતા. હવે તેઓ ભાજપમાં જોડાઇ તેવી વાતે જોર પકડયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર શર્મિષ્ઠા મુખર્જીને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપમાં જોડાશે? આ સવાલના જવાબમાં શર્મિષ્ઠા મુખર્જીએ સ્પષ્ટ જવાબ આપતા ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે ના, હુ જોડાવાની નથી. એટલું જ નહી તેમણે આ સાથે એમ પણ કહ્યું હતું કે મેં રાજકારણ છોડી દીધું છે. આવી સ્થિતિમાં મને ભાજપ કે અન્ય કોઈ પાર્ટીમાં જોડાવામાં રસ નથી. પરંતુ જેઓ તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓથી આગળ જોઈ શકતા નથી તેઓ વિચારે છે કે રાજ્યસભા અથવા લોકસભા બેઠક નિર્વાણનો માર્ગ છે. આવા લોકો દેખીતી રીતે મારા પર વિશ્વાસ નહીં કરે તેવો પ્રત્યુતર પાઠવ્યો હતો.
આમ, શર્મિષ્ઠા મુખર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી. તો બીજી તરફ તેઓ ભાજપમાં જોડાઇ છે તેવી અટકળોનું તેમણે સ્પષ્ટપણે ખંડન કરી દીધું છે. એટલું જ નહીં તેમને રાજકારણમાં જ રસ ન હોવાની વાત સ્પષ્ટ કરી દીધી છે. તાજેતરમાં જ શર્મિષ્ઠા મુખર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી તેમનું પુસ્તક 'પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ' ભેટ સ્વરૂપે આપ્યું હતું. મહત્વનું છે કે, આ પુસ્તકમાં શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અંગે ચોંકાવનારા દાવા પણ કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ: સઘન વાહન ચેકિંગ
June 09, 2025 01:15 PMજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech