કોઈ એક સંગઠનને આઝાદી માટે જશ આપી શકાય નહીં : ભાગવત

  • June 09, 2025 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતએ એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું છે કે, અંગ્રેજો સામે ભારતે મેળવેલી સ્વતંત્રતા મોટી સિદ્ધિ છે. જોકે આ માટે કોઈપણ એક સંસ્થા કે વ્યક્તિને શ્રેય આપી શકાય નહીં. અસંખ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓએ કરેલા કામને કારણે ભારતને આઝાદી મળી છે.

ભાગવતના કહેવા પ્રમાણે સ્વતંત્રતા આંદોલનની શરૂઆત 1857થી થઈ હતી. આ જ કારણે ભારતને સ્વતંત્રતા મળી છે. દેશની આઝાદી વિશે વાત થાય છે ત્યારે કેટલીક નક્કર હકીકતોને ભૂલાવી દેવામાં આવે છે.

નામ આપ્યા વગર ભાગવતે કેટલીક વ્યક્તિઓને નિશાન બનાવ્યા હતા. ભાગવતે વારંવાર રીપીટ કર્યું હતું કે, દેશની સ્વતંત્રતા માટેનો જશ મર્યાદિત વ્યક્તિઓને આપી શકાય નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application