પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાગરિકોએ યોગાભ્યાસ કર્યો
સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે તા.૦૧ જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૧ જાન્યુઆરીના રોજ જામનગર શહેરની શાન સમા અને જામનગરના આઈકોનિક સ્થળોની યાદીમાં સમાવિષ્ટ એવા રણમલ તળાવની પાળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર વહીવટી વિભાગ, જામનગર મહાનગરપાલિકા તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કચેરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.
મંચસ્થ મહેમાનોનું તુલસીના રોપા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન હિતેષભાઈ વાળાએ કર્યું હતું, અને આભારવિધિ ભરતભાઈએ કરી હતી. આ કાર્યક્રમમાં, જામનગર શહેર મામલતદાર વીરલ માકડીયા, સૌરાષ્ટ્ર ઝોનના યોગ કો-ઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લ, ગુજરાત યોગ બોર્ડના યોગ પ્રશિક્ષકો, શાળાના વિધાર્થીઓ, યોગ સ્પર્ધકો અને બહોળી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech