રબારી સમાજના પીઢ આગેવાનને શ્રધ્ધાસુમન થયા અર્પણ

  • June 09, 2025 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રબારી સમાજના પીઢ આગેવાનનું નિધન થતા તેમને શ્રધ્ધાંજલિ સાથે શબ્દાંજલિ અર્પણ કરવા વિશાળ સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 
શ્રી સમસ્ત સોરઠીયા રબારી સેવા સમાજ મંડળ-પોરબંદરના સંસ્થાપક અને રબારી સમાજના પીઢ આગેવાનને શ્રધ્ધાસુમન અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શ્રી સમસ્ત સોરઠીયા રબારી સેવા સમાજ મંડળ -પોરબંદરના સંસ્થાપક સ્વ. વિરાભાઇ સરમણભાઇ ગરચરને સમસ્ત સોરઠીયા રબારી સમાજ દ્વારા રબારી સમાજ બોર્ડીંગ ખાતે શ્રધ્ધાસુમન અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.


રબારી સમાજ ભવન સ્વ. વીરાભાઇ સરમણભાઇ ગરચર દ્વારા સમાજ ઉપયોગી કાર્ય કરવા જેમાં બોર્ડીંગ ભવનનું નિર્માણ, પ્રથમ સમુહ લગ્નોત્સવ, જુનાગઢ મુકામે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, સમાજ ઉપયોગી કાર્યો અને બ્લડ ડોનેશન કેમ્પ, પશુપાલકોને લગતા પ્રશ્ર્નો માટે આજીવન સેવાકીય કાર્ય કરવા બદલ બહોળી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો જેમાં સ્વ. વિરાભાઇ ગરચરના પરિવાર અને રબારી સમાજ પોરબંદર જિલ્લાના પ્રમુખ ભીમાભાઇ મકવાણા, પોરબંદર જિલ્લા રબારી સમાજના પૂર્વ પ્રમુખ અમરાભાઇ મોરી, રબારી યુથ સંગઠન પોરબંદરના પ્રમુખ પાલાભાઇ ઘેલીયા, પોરબંદર જિલ્લા ભાજપ અનુસૂચત જનજાતિ મોરચાના પ્રમુખ અરજનભાઇ હુણ, રાણાવાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કનુભાઇ મોરી, અજાભાઇ ગુરગુટીયા, રેત શિલ્પકાર અને સમાજરત્ન નથુભાઇ ગરચર, રબારી સમાજના આગેવાન રામભાઇ મકવાણા, અને સમસ્ત સોરઠીયા રબારી સેવા સમાજ મંડળ- પોરબંદરના પ્રમુખ દેવાભાઇ મુછાર, મહામંત્રી સરમણભાઇ કોડીયાતર, ખજાનચી પ્રવીણભાઇ વાઘડા,સહ ખજાનચી રાણાભાઇ મોરી, લાલાભાઇ મોરી, ચનાભાઇ મોરી, રાણાભાઇ ગરચર, અજાભાઇ ગરચર, દેવાભાઇ મોરી,રબારીયુવા સંગઠન પોરબંદરના મીડિયામંત્રી  સાગરભાઇ મોરી, મસુરભાઇ મોરી, બરડાના આગેવાન સુરાભાઇ કોડિયાતર અને રબારી સમાજમાંથી આગેવાનો, યુવાનો, બાળકો, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application