સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશને ધોરણ 11માં પ્રવેશના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે બેઝિક મેથ્સ સાથે ધોરણ-10 પાસ કરનાર વિદ્યાર્થીઓ પણ 11માં પીસીએમમાં પ્રવેશ લઈ શકશે. આ ફેરફારના પગલે જે વિદ્યાર્થી ઓ પરિણામ ની રાહ જોઈ રહ્યા છે અને જેને કઈ સ્ટ્રીમમાં જવું છે તે નક્કી છે તેવા 10માં બેઝિક મેથ્સનો વિકલ્પ પસંદ કર્યો હતો તેવા વિદ્યાર્થીઓ હવે પીસીએમ એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ 11માં ભણી શકશે
સીબીએસઈ બોર્ડની ધોરણ-10ની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં યોજાઈ હતી. હાલમાં વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓ ધોરણ-11માં પ્રવેશની તૈયારીમાં વ્યસ્ત છે. ઘણા વિદ્યાર્થીઓ ધોરણ-10 પછી જ સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ આગળ શું કરવા માંગે છે અથવા કઈ સ્ટ્રીમમાં અભ્યાસ કરવા ઈચ્છે છે. સીબીએસઈએ બેઝિક મેથ્સ સાથે ધોરણ-10 પાસ કરનારા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે
સીબીએસઈ બોર્ડે ધોરણ 11માં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. આ મુજબ જે વિદ્યાર્થીઓએ 10માં બેઝિક મેથ્સનો વિકલ્પ પસંદ કર્યો હતો તેઓ હવે પીસીએમ એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ 11માં ભણી શકશે. અગાઉ, ધોરણ-10મા સ્ટાન્ડર્ડ ગણિતપસંદ કરનારને જ 11મા પીસીએમ સ્ટ્રીમમાં અભ્યાસ કરવાની છૂટ હતી. વિદ્યાર્થીઓ ખુશ છે કે આ નિયમ ધોરણ 11માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા પહેલા આવી ગયો છે.
સીબીએસઈ બોર્ડે તેના પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, ’10 જાન્યુઆરી, 2019ના રોજ જારી કરાયેલા પરિપત્રમાં ગણિતના બે સ્તર વિશે કહેવામાં આવ્યું હતું. ગણિતનું ધોરણ એવા વિદ્યાર્થીઓ માટે હતું કે જેઓ સિનિયર સેક્ધડરી કક્ષાએ એટલે કે 11 અને 12માં ગણિત (041) ભણવા માગે છે. તે જ સમયે, મેથ્સ બેઝિક એવા લોકો માટે હતું જેઓ ઉચ્ચ સ્તરે ગણિત લઈને પ્રગતિ કરવા માંગતા નથી. અમે તમને જણાવી દઈએ કે ધોરણ 10માં ગણિતને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે - મેથ્સ બેઝિક અને મેથ્સ સ્ટાન્ડર્ડ. જેમણે ધોરણ 10માં ગણિત (041) પસંદ કર્યું હતું તેઓ 11માં ગણિત (041) લઈ શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech