આર્યસમાજ –જામનગર નાં ૯૭ મા વાર્ષિકોત્સવ અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય ના ૭૭ માં વાર્ષિકોત્સવ પ્રસંગે ૫૧ કુંડી પર્યાવરણ શુધ્ધિ મહાયજ્ઞનું આયોજન આર્યસમાજ – મોરબીથી પધારેલ પંડિત ધર્મવીરજીના અને આર્યસમાજ-નડિયાદના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશજી આર્યના બ્રહ્માસ્થાને યોજવામાં આવેલ હતો, આ ૫૧ કુંડી યજ્ઞ પર ૧૦૨ યજમાનો બિરાજેલા હતા.
આ યજ્ઞને સફળ બનાવવા માટે આર્યસમાજ-જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, ઉપમંત્રી ઘવલભાઈ બરછા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, અંતરંગ સદસ્યો જગદીશભાઈ મકવાણા, હરીશભાઈ મહેતા, પ્રભુલાલભાઈ જે. મહેતા, વિજયભાઈ ચૌહાણ, રામભાઈ બરછા ઉપરાંત સભાસદ તેજભાઈ ઠક્કર, ભાર્ગવભાઈ મકવાણા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રુપડીયા, પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, બંને વિભાગના શિક્ષિકા બહેનો, વહીવટી કર્મચારીઓ, સેવક ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત આર્યસમાજ-જામનગરના સર્વે સભાસદો, સહાયકો અને નિમંત્રિતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ૫૧ કુંડી મહાયજ્ઞ બાદ જલંધર-પંજાબથી પધારેલ ભજનીક રાજેશજી અમરપ્રેમીનો ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો પણ જામનગરની ધર્મપ્રેમી પ્રજાએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech