પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયાના ૫૪માં જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢ ક્રિડાભારતી દ્વારા ૫૪ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.પર્યાવરણ સપ્તાહ ઉજવણી, વિશ્ર્વ સાઇકલ દિવસ અને સન્ડે ઓન સાયકલ ના પ્રણેતા યુનિયન સ્પોર્ટસ મિનિસ્ટર ડો. મનસુખ માંડવીયાના ૫૪માં જન્મોત્સવ નિમિત્તેે જુનાગઢ સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેકસ ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતી દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ જેમાં પર્યાવરણ, સ્વાસ્થય અને વૃક્ષો વાવોના અભિગમ સાથે મંત્રી ડો. મનસુખ માંડવીયાના ૫૪માં જન્મદિવસ નિમિતે ૫૪ ફળદ્રુપ વૃક્ષો વાવી એક અનોખી ઉજવણી કરવામાં આવી છે.
સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેકસ ખાતે તાલીમ મેળવતા અને પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરતા દરેક પ્રતિનિધિ પાસે એક વૃક્ષનું વાવેતર કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જુનાગઢના જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર જીલડીયા, ક્રિડાભારતી પોરબંદરના પ્રમુખ લીલાભાઇ પરમાર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સ્ટાફ તેમજ અન્ય પર્યાવરણ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech