રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને વોર્ડ નં.૩ના ભાજપના કોર્પોરેટર નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજાનો તા.૨૫-૫-૨૦૨૫ને રવિવારના જન્મદિવસ હતો, તા.૨૫-૫-૧૯૮૩ના રોજ જન્મેલા નરેન્દ્રસિંહ જાડેજા પોતાની યશસ્વી સેવાકીય અને સફળ કારકિર્દીના ૪૨ વર્ષ પૂર્ણ કરી, ૪૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો આ પ્રસંગે તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી રક્તદાન કેમ્પ યોજીને કરી સાદગીથી કરી હતી, પોતાના જન્મ દિવસ નિમિતે યોજવામાં આવેલ મહારક્તદાન કેમ્પમાં ૩૫૦થી વધુ સ્વયંસેવકોની મહેનતથકી કુલ ૭૦૦૦થી વધારે બોટલ બ્લડનું ડોનેશન કરવામાં આવ્યું હતું.
આ મહારક્તદાન કેમ્પમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદસભ્ય લોકસભા પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ સભ્ય રાજ્યસભા રામભાઇ મોકરીયા, સાંસદ રાજ્યસભા કેશરીદેવસિંહજી(વાંકાનેર સ્ટેટ), શ્રીમતી ગીતાબા જાડેજાના સુપુત્ર જ્યોતિરાદિત્યરાજસિંહ (ગણેશભાઈ ગોંડલ), રાજકોટ સ્ટેટ માંધાતાસિંહજી ઠાકુર સાહેબ, એકતાબા સોઢા (જામનગર), રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી આઈ.એ.એસ., દિગ્વિજયસિંહ જાડેજા આઈ.એ.એસ., ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, જીતુભાઈ સોમાણી, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટરશ્રીઓ પુષ્કરભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ વાળા, અશ્વિનભાઈ પાંભર, બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી, અલ્પાબેન દવે, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, કિર્તિબા રાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, હિતેશભાઈ રાવલ, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ વરિષ્ઠ આગેવાન ધનસુખભાઈ ભંડેરી, નાગદાનભાઈ ચાવડા, મનહરભાઈ બાબરિયા, ખોડલધામ પ્રમુખ નરેશભાઇ પટેલ, બાનલેબ મૌલેશભાઈ ઉકાણી, ક્ષત્રિય સમાજ અગ્રણી પી.ટી.જાડેજા, બિલ્ડર્સ એસોસીએશન પ્રમુખ પરેશભાઈ ગજેરા, ભાજપ વોર્ડ સંગઠનની ટીમ, હોદેદારો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ, જુદા જુદા મોરચાઓની ટીમ, રાજકોટ તાલુકા પંચાયતની ટીમ, રાજકોટ જિલ્લા પંચાયતની ટીમ, વિસ્તારવાસીઓ ભાઈઓ બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા તથા એન.પી.જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પૃથ્વીસિંહ હેમતસિંહ જાડેજા વતી સેવાયજ્ઞ, સાધુ સંતો, મહંતો, મંત્રી, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, વોર્ડ સંગઠનની ટીમ, હોદેદારો, રાજકીય આગેવાનો, સામાજીક અગ્રણીઓ, કાર્યકર્તાઓ, જહેરસેવકો, પ્રેસ મીડિયા ચેનલો, ઉદ્યોગપતિઓ, સ્વયંસેવકો, ડોકટરો તથા મેડિકલની ટીમ, કર્મચારીઓ વિગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત બધાનો આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા હદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા શહેર ભાજપ સંગઠનમાં વર્ષોથી કાર્યરત છે તેઓએ વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૮ સુધી રાજકોટ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે તેઓએ મહત્વપૂર્ણ યોગદાન આપેલ. વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ સુધી રાજકોટ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપેલ અને વર્ષ ૨૦૧૨-૧૩મા રાજકોટ જીલ્લા ભાજપમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી વર્ષ ૨૦૨૧માં વોર્ડ નં.૩ના કોર્પોરેટર તરીકે જંગી બહુમતીથી ચુંટાયેલ તેમજ તા.૧૨-૯-૨૦૨૩થી રાજકોટ મહાનગરપાલિકાના ૩૪મા ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે.
તેઓએ પોતાના જન્મદિવસ નિમિતે એન.પી.જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માધાપર વિસ્તારમાં શ્રી ઇશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં, માધાપર, રાજકોટ ખાતે, તા.૨૫-૫-૨૦૨૫ રવિવારના રોજ સવારે ૭:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી મહારકતદાન કેમ્પનું આયોજન કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
એન.પી.જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ પ્રથમ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ રકતદાન કેમ્પમાં ૮(આઠ) બલ્ડ બેંક, રેડ ક્રોસ બલ્ડ બેંક, સૌરાષ્ટ્ર વોલેન્ટરી બલ્ડ બેંક, લાઇફ બલ્ડ સેન્ટર, ફિલ્ડ માર્શલ બલ્ડ બેંક, નાથાણી વોલેન્ટરી બલ્ડ બેંક, એઇમ્સ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તથા જીવનદિપ બલ્ડ બેંકઆ રકતદાન કેમ્પમાં સેવાઓ આપી હતી તેમજ મેડિકલ ટીમોએ પણ રકતદાન કેમ્પમાં સેવાઓ આપી હતી. આ કેમ્પમાં ચા, કોફી, નાસ્તાની સુવિધા પણ ઉપલ્બધ કરવામાં આવી હતી.
આ મહારકતદાન કેમ્પમાં એઇમ્સ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ઉપરાંત ડો.જયેશભાઇ ડોબરીયા, ડો.પ્રફુલ કમાણી સહિત ડોકટરની ટીમ પણ ખડેપગે રહી હતી. રકતદાન કરનાર તમામ વ્યક્તિને શ્રી એન.પી.જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ તેમજ ભેટ આપવામાં આવેલ. આ ઉપરાંત, મહેમાનો અને દરેક લોકો માટે કેમ્પ સ્થળ પરજ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.
આ રકતદાન કેમ્પમાં એકત્ર કરેલ રકત થેલેસીમીયા ગ્રસ્ત બાળકો માટે તેમજ જરૂરીયાતમંદ લોકોની મદદ અર્થે આપવામાં આવેલ તેમજ રકતદાન માટે આવનાર લોકો માટે કેમ્પના સ્થળે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech